રાજુલા તાલુકાના બાબરીયાધાર ગામની સીમ વિસ્તારમાં રપ ફૂટ ઊંડા કૂવામાંથી કોહવાઈ ગયેલી હાલતમાં પરણીત યુવતીની લાશ મળતા લોકોમાં ચકચાર મચી ગઈ હતી. મૃતક યુવતી સોનલબેન કિશનભાઈ ચુડાસમાએ અઢી માસ પહેલા ઘર મૂકીને પ્રેમલગ્ન કર્યા હતા. ત્યારે યુવતીની માતા દ્વારા ગુમ થયાની પોલીસ ફરિયાદ કરવામાં આવી હતી. પોલીસ દ્વારા કાર્યવાહી દરમ્યાન કૂવામાંથી યુવતીની કોહવાઈ ગયેલી લાશના અવશેષો મળી આવ્યા હતા. આ ઘટનાના પગલે એ.એસ.પી. વલય વૈદ્ય, રાજુલા પીઆઈ કોલાદરા સહિતના ઘટના સ્થળે પહોચ્યા હતા. તપાસ દરમ્યાન તેમના પતિ દ્વારા હત્યા કરીને કૂવામાં ફેંકી દીધી હોવાની પ્રાથમિક વિગતો સામે આવી છે. રાજુલા પોલીસે હત્યા કરનાર આરોપીને પકડી પાડવા તપાસ શરૂ કરી છે.