અમરેલી નગરપાલિકાના સદસ્યો દ્વારા પોતાના અંગત કામોમાં પાલિકાના સાધનોનો વપરાશ કરવામાં આવતો હોવાના આક્ષેપ થયા છે. કોઇના લગ્ન પ્રસંગમાં પાલિકાના સાધનનો ઉપયોગ કરવામાં આવ્યો હતો, તેવા આક્ષેપ થઇ રહ્યા છે. ત્યારે એવા સવાલો ઉઠી રહ્યા છે કે જ્યાં સાફસફાઇ કરવાની જરૂરિયાત છે ત્યાં પાલિકા દ્વારા કરવામાં આવતી નથી અને શોભાના ગાંઠીયા સમાન પડી રહેલ સાધનો શું અંગત સાફસફાઇના ઉપયોગ માટે છે? સરકારી તંત્ર પણ આ બાબતે આંખ આડા કાન કરી રહ્યાનું લાગી રહ્યું છે. આ સમગ્ર મામલો ખુલ્લો પડ્યો છે ત્યારે હવે જાવું રહ્યું કે, જવાબદાર સામે આગામી દિવસોમાં પગલા લેવામાં આવે છે કે કેમ? આ અંગે યોગ્ય તપાસ કરવામાં આવે તેવું લોકો ઇચ્છી રહ્યા છે.