(એ.આર.એલ),મુંબઇ,તા.૧૩
મુંબઈમાં એનસીપી નેતા બાબા સિદ્દીકીની હત્યાથી ખળભળાટ મચ્યો છે. શનિવાર મોડીરાત્રે બાંદ્રા ઈસ્ટમાં ૩ શૂટરોએ ફાયરિંગ કરીને તેમની હત્યા કરી દીધી છે. બાબા સિદ્દીકીનું પુરુ નામ જિયાઉદ્દીન સિદ્દીકી છે. અજિત પવાર જૂથના નેતા બાબા સિદ્દીકી રાત્રે પોતાના દીકરા જીશાન સિદ્દીકીની ઓફિસ પર પહોંચ્યા હતા. તે જ સમયે કારમાં આવેલા ૩ શૂટરોએ તેમના પર ધડાધડ ફાયરિંગ શરૂ કરી દીધુ હતુ. તેમાં બાબા સિદ્દીકીની છાતીમાં ૨ ગોળી અને એક ગોળી પગમાં વાગી હતી. ગંભીર રીતે ઈજાગ્રસ્ત થયેલા બાબા સિદ્દીકીને તાત્કાલિક લીલાવતી હોÂસ્પટલમાં દાખલ કરાયા હતા. જ્યાં ટુંકી સારવાર ડોક્ટરોએ બાબા સિદ્દીકીની મૃત ઘોષિત કર્યા હતા. ડાક્ટરોએ જણાવ્યું કે હુમલાખોરોએ ખૂબ જ નજીકથી સિદ્દીકી પર હુમલો કર્યો હતો. જેથી તેમને ગંભીર ઈજાઓ પહોંચી હતી. જ્યારે તેમને હોÂસ્પટલ લવાયા ત્યારે હૃદયના ધબકારા પણ બંધ હતા. ડાક્ટરોએ એનસીપી નેતા બાબા સિદ્દીકીને બચાવવા પ્રયાસ કર્યા પરંતુ તેમને બચાવી શક્યા ન હતા.એનસીપી નેતા બાબા સિદ્દીકી પર હુમલો અને તેમની મોતના સમાચાર વાયુવેગે પ્રશરતા મુખ્યમંત્રી એકનાથ શિંદે, ગૃહ રાજ્યમંત્રી દેવેન્દ્ર ફડણવીસ હોÂસ્પટલ પહોંચ્યા હતા. તો સાથે જ સલમાન ખાન, સંજય દત્ત, શિલ્પા શેટ્ટી સહિત રાજ કુંદ્રા પણ સિદ્દીકીના પરિવારને મળવા માટે હોસ્પટલ પહોંચ્યા હતા.એનસીપી નેતા બાબા સિદ્દીકીની મુંબઈના બાંદ્રામાં જાહેરમાં ગોળી મારીને હત્યા કરવામાં આવી હતી. ગઈ કાલે રાત્રે ૯ઃ૧૫ થી ૯ઃ૨૦ વાગ્યાની વચ્ચે બાબા સિદ્દીકી તેમના પુત્રની આૅફિસથી નીકળ્યા હતા. ફટાકડાના જારદાર અવાજ વચ્ચે ત્રણ લોકોએ તેમના પર ગોળીબાર કર્યો હતો. ત્રણેય બદમાશોએ પોતાના મોઢા રૂમાલથી ઢાંકેલા હતા.વિદ્યાદશમીની સાંજે ત્રણેય આરોપીઓ બાબા સિદ્દીકીની રાહ જાતા પૂરા પ્લાનિંગ સાથે ફટાકડા ફોડી રહ્યા હતા. બાબા સિદ્દીકી ઓફિસમાંથી બહાર આવ્યા કે તરત જ આરોપીએ યોગ્ય તક જાઈને તેમના પર ૬ રાઉન્ડ ફાયરિંગ કર્યું, જેમાં ત્રણ ગોળી બાબા સિદ્દીકીને લાગી. ગોળી વાગી કે તરત જ બાબા સિદ્દીકી જમીન પર પડી ગયા. આ પછી તેને લીલાવતી હોસ્પટલમાં દાખલ કરવામાં આવ્યો, જ્યાં તેને મૃત જાહેર કરવામાં આવ્યો.એનસીપી નેતાનું આખુ નામ બાબા જિયાઉદ્દીન સિદ્દીકી હતું,મૂળ બિહારના ગોપાલગંજના રહેવાસી હતા,આજે વર્ષે અજિત પવારની એનસીપીમાં સામેલ થયા હતા,છેલ્લા ૪૮ વર્ષથી કોંગ્રેસ સાથે જાડાયેલા હતા,મહારાષ્ટÙમાં કોંગ્રેસના કદ્દાવર નેતાઓમાં ગણતરી,બાંદ્રા પશ્ચિમથી ત્રણ વખત ધારાસભ્યા રહ્યા,મહારાષ્ટ સરકારમાં રાજ્યકક્ષાના મંત્રી રહ્યા,મહારાષ્ટ હાઉસિંગ ઓથોરિટીના અધ્યક્ષ રહ્યા,રાજકારણની શરૂઆત વિદ્યાર્થી નેતા તરીકે કરી હતી,પહેલી વખત મુંબઈમાં કોર્પોરેટર તરીકે ચૂંટાયા હતા,બોલિવુડ કનેક્શનને કારણે વધારે જાણિતા હતા,દર વર્ષે રમઝાન પર મોટી ઈફ્તાર પાર્ટી કરતા હતાએનસીપી નેતા બાબા સિદ્દીકીનું બોલીવુડ સાથે ખાસ કનેક્શન હતું. તેમાં પણ બોલીવુડના ભાઈજાન સલમાન ખાન સાથે તેમના ખુબ સારા સંબંધ હતા. પશ્ચિમી બાંદ્રાના ધારાસભ્ય હોવાથી અનેક બોલીવુડ સિતારાઓ સાથે તેમની ઓળખાણ હતી. જ્યારે પણ બાબા સિદ્દીકીના ઘરે ઈફ્તાર પાર્ટી હોય ત્યારે સલમાન ખાન ઉપરાંત શાહરૂખ ખાન, આમિર ખાન, સંજય દત્ત સહિતના અનેક બોલીવુડ અભિનેતાઓ તેમના ઘરે હાજરી આપતા હતા. સલમાન ખાન અને શાહરૂખ ખાન વચ્ચે દુશ્મનની ચાલતી હતી ત્યારે બંને અભિનેતાઓ વચ્ચે બાબા સિદ્દીકીએ જ સમાધાન કરાવ્યું હતુ. આ ઉપરાંત જ્યારે પણ બોલીવુડ જગતના કોઈપણ વ્યÂક્તને કોઈ રાજકીય કામ હોય તો તેઓ સૌથી પહેલાં તેઓ બાબા સિદ્દીકીનો જ સંપર્ક કરતા હતા. ત્યારે એનસીપી નેતા બાબા સિદ્દીકીના સમાચારને લઈને બોલીવુડ જગત શોક ફેલાયો છે. બાબા સિદ્દીકીના મોતની ખબર જેવી બહાર આવી કે સલમાન ખાને બીગ બોસનું શુટિંગ અટકાવી દીધુ હતુ. અને તાત્કાતિક લીલાવતી હોÂસ્પટલ પહોંચ્યા હતા. આ ઉપરાંત સંજય દત્ત, શિલ્પા શેટ્ટી, રાજ કુંદ્રા સહિતના અનેક લોકો સિદ્દીકી પરિવારને મળવા માટે મોડીરાત્રે જ લીલાવત
એનસીપી નેતા બાબા સિદ્દીકીની હત્યાથી મહારાષ્ટÙમાં કાયદાની સ્થતિ કથળી હોવાનો વિપક્ષે દાવો કર્યો. રાહુલ ગાંધીએ એક્સ પર હત્યા પર દુખ વ્યક્ત કરતા કહ્યું કે, મારી સંવેદનાઓ સિદ્દીકીના પરિવાર સાથે છે. મહારાષ્ટÙમાં કાયદો-વ્યવસ્થાનું પતન થઈ ગયું છે. તો શરદ પવારે કહ્યું કે, રાજ્યમાં આ Âસ્થતિ ચિંતાજનક છે. અનિલ દેશમુખે કહ્યું, ‘રૂ કેટેગરીની સુરક્ષા છતાં હત્યા? આમ, વિપક્ષના નેતાઓ શિંદે સરકાર પર આકરા પાણીએ તેવર બતાવ્યા.એનસીપી નેતા બાબા સિદ્દીકીની હત્યામાં લોરેન્સ બિશ્નોઈ ગેંગની એન્ટ્રી થઈ છે. બાબા સિદ્દીકીની હત્યા કરનારા ત્રણેય શૂટર લોરેન્સ બિશ્નોઈ ગેંગના હોવાની ચર્ચા છે. હત્યા કરનાર એક શૂટર કરનેલસિંહ હરિયાણાનો વતની છે, જ્યારે બીજા શૂટર ધર્મરાજ કશ્યમ યુપીનો વતની છે. જ્યારે એક શૂટર ફરાર છે. પકડાયેલા શૂટરોએ પોલીસ પૂછપરછમાં દાવો કર્યો છે કે તેઓ લોરેન્સ બિશ્નોઈ ગેંગના છે. પરંતુ હજુ સુધી પોલીસ દ્વારા આધિકારીક પુષ્ટી કરવામાં આવી નથી.મહત્વનું છે કે બાબા સિદ્દીકી સલમાન ખાનના સૌથી નજીક હતા. અને ગેંગસ્ટર લોરેન્સ બિશ્નોઈ સલમાન ખાનને પોતાનો સૌથી મોટો દુશ્મન માને છે. રાજસ્થાનનો બિશ્નોઈ સમાજ કાળિયારની પૂજા કરે છે. તો કાળિયાર શિકાર કેસમાં સલમાન ખાન આરોપી છે. જેથી પોતાના પૂજનીય એવા કાળિયારનો શિકાર કર્યો હોવાથી લોરેન્સ બિશ્નોઈની સલમાન ખાન સાથે દુશ્મની છે. લોરેન્સ બિશ્નોઈ દ્વારા અનેક વખત સલમાન ખાનને જાનથી મારી નાંખવાની ધમકી પણ આપવામાં આવી છે. એટલું જ નહીં થોડા સમય પહેલાં સલમાન ખાનના ઘર ઉપર પણ ફાયરિંગ કરાયું હતુ. ત્યારે એનસીપી નેતા બાબા સિદ્દીકી અને સલમાન ખાનના નજીકના સંબંધોને લઈને લોરેન્સ બિશ્નોઈએ જ હત્યા કરાવી હોવાની ચર્ચા છે. મહત્વનું છે કે ગેંગસ્ટર લોરેન્સ બિશ્નોઈ હાલ અમદાવાદની સાબરમતી જેલમાં બંધ છે.