હાલ વરસાદ અમુક વિસ્તારમાં વાવણી લાયક થયો નથી તે ખેડૂત ભાઈઓને જનાવાવાનુકે તમારી ક્રોપીંગ પેટર્નમાં ફેરફાર કરજા. હવે બને ત્યાં સુધી ટૂંકા ગાળાના પાકનું વાવેતર કરવાનો આગ્રહ રાખવો.
જ્યાં પણ સુકારો આવ્યો હોય તેમણે નિયંત્રણના પગલા લેવા. ખાલા તાત્કાલિક પૂરી દેવા.
• કપાસ ઃ
ઋતુ દરમ્યાન રોગ ને જીવાતના નિયંત્રણ માટે સંકલિત રોગ-જીવાતના નિયંત્રણ પગલાં લેવા.
વધારના કપાસના છોડને ધીમેથી ખેચી કાઢવા તથા જે જગ્યાએ ખાલા પડેલ હોય તે ખાલા પૂરવા
વાવેતર બાદ એક માસના અંતરે નાઈટ્રોજનયુક્ત ખાતર આપવું.
• ડાંગરઃ
ગાભમારાની ઈયળનાં નિયંત્રણ માટે આ જીવાતનો ઉપદ્રવ ધરુંવાડિયા જ શરુ થઈ જતો હોઈ એમામેકટીન બેન્ઝોએટ ૪ ટકા અથવા કાર્ટેપ હાઈડ્રોકલોરાઈડ ૪ % દાણાદાર કીટનાશક ૧ કિ.ગ્રા. / ૧૦૦ ચો.મી. (૧ ગુઠા) વિસ્તારમાં પ્રથમ હપ્તો ધરૂ નાખ્યા બાદ ૧૫ દિવસે આપવો.
• તલ ઃ તલનું બીજ ઝીણું હોવાથી વાવણી વખતે તેમાં રેતી ભેળવીને વાવેતર કરવું. એક હેકટરના વાવેતર માટે ર.પ થી ૩ કિ.ગ્રા બીજ પૂરતુ છે. એક કિલો બીજ દીઠ ૩ ગ્રામ થાયરમ કે કેપ્ટાનનો પટ આપીને વાવેતર કરવું.
ચોમાસું તલ વાવેતરના ફાયદા ઃ
• ટૂંકાગાળાનો પાક હોવાથી આંતરપાક માટે ખુબ જ સુસંગત છે.
• અનિયમિત વરસાદની પરિસ્થતિમાં પણ અન્ય પાકોની સરખામણીમાં સફળતાપૂર્વક લઈ શકાય છે.
• બીજા પાકોની સરખામણીમાં ખેતી ખર્ચ ઓછો છે.
• જમીનનું પ્રત સુધરે અને ભેજ સંગ્રહ શકિત વધે છે.
• મકાઈ ઃ
મગ, મઠ, અડદ, ગુવાર અને ચોળીમાં સફેદ માખીનાં નિયંત્રણ માટે આ જીવાતનો ઉપદ્રવ જણાય તો લીમડાની લીંબોળીની મીંજનો ભૂકો ૫૦૦ ગ્રામ (૫ % અર્ક) અથવા બીવેરીયા બેસીયાના કે વર્ટીસીલીયમ લેકાની નામની ફુગનો પાઉડર ૬૦ ગ્રામ ૧૦ લીટર પાણીમાં ઉમેરી છંટકાવ કરવો.
• બાજરીઃ
બાજરી, જુવાર અને ઘાસચારાના પાકો ઃ સાંઠાની માખીનાં નિયંત્રણ માટે ઈમિડાકલોપ્રીડ ૭૦ ડબલ્યુએસ ૫ ગ્રામ / કિ.ગ્રા. બીજ પ્રમાણે માવજત આપી વાવેતર કરવું અથવા વાવણી વખતે ઈમિડાકલોપ્રીડ અથવા ફીપ્રોનીલ ચાસમાં આપવું મકાઈ, દિવેલા, મગ, ચોળા, મગફળી, સોયાબીન, શણ, કાતરા કાતરાનો ઉપદ્રવ નિયમિત જાવા મળતો હોય ત્યાં ખેતરની ફરતે ખાઈ બનાવી તેમાં ભૂકારૂપ કીટનાશક ભભરાવવી જેથી કાતરા શેઢા – પાળા પરથી ખેતરમાં ઉતરે ત્યારે દવાના સંપર્કમાં આવે તો નાશ થઈ શકે.
લીંબોળીની મીંજનો ભૂકો અથવા લીમડાના પાન ૫૦૦ ગ્રામ (૫ % અર્ક) ૧૦ લિટર પાણીમાં ભેળવી પાક પર છાંટવાથી કાતરા પાકને નુકસાન કરતા નથી.
વધુ ઉપદ્રવ જણાય તો થાયોડીકાર્બ ૭૫ ડબલ્યુ ૨૦ ગ્રામ અથવા ઈન્ડોઝાકાર્બ ૧૫.૮ ઈસી ૧૦ મિ.લી. અથવા એમામેકટીન બેન્ઝોએટ ૫ એસ.જી. ૫ ગ્રામ ૧૦ લીટર પાણીમાં ભેળવી છંટકાવ કરવો.
પ્રથમ સારો વરસાદ થયા બાદ દરરોજ રાત્રે ૮ થી ૧૨ વાગ્યા સુધી હેકટર દીઠ એક પ્રકાશ પિંજરનો ઉપયોગ કરી ફુદીઓને આકર્ષી નાશ કરવો.
• ટમેટા ઃ
ટમેટામાં ભલામણ કરેલ ૭૫ ૩૭.૫ ૬૨.૫ ના.ફો.પો. તત્વો સિવાય સૂક્ષ્મ તત્વો પણ આપવા અથવા મલ્ટીમાઈક્રોન્યુટ્રીયન્ટ ૧ ટકા દ્રાવણનો છંટકાવ ૪૫, ૬૦ અને ૭૫ દિવસે કરવાથી વધુ ઉત્પાદન મળે.
• રીગણી ઃ
રીગણીનાં ફળ અને ડુંખ કોરી ખાનાર ઇયળનાં નિયંત્રણ માટે એમામેકટીનબેન્મોએટ ૫ ગ્રામ / ૧૦ લી. છંટકાવ કરવો.
• મરચી ઃ
ચોમાસું મરચીના પાકના ધરૂ માટેનું વાવેતર સામાન્ય રીતે જુન મહિનાના અંતમાં કરવામાં આવે છે.
ત્યારબાદ ૪૦ થી ૪૫ દિવસે ૧૫મી ઓગષ્ટની આજુબાજુ જયારે ઝરમર વરસાદ ચાલુ હોય ત્યારે ફેરરોપણી કરવી.
• ડુંગળી ઃ
ચોમાસું ડુંગળીનું વાવેતર સામાન્ય રીતે જુન મહિનામાં કરવામાં આવે છે.
• ધરૂ ઉછેર
ધરૂવાડીયા માટે જમીન સારી ફળદ્રુપતાવાળી, સારા નીતારવાળી, પાણી ભરાઈ ન રહે તેવી પાણીના નીકાલવાળી તેમજ વાડ કે ઝાડનો છાયો આવતો ન હોય તેવી રાબીંગ ઃ
જમીન ઉપર ઘઉંનું કે બાજરીનું ભુંસુ અથવા નકામું ઘાસ પાથરી છ ઈંચ જેટલો ઠર બનાવવો, આ ઘાસના થરને પવનની વિરુદ્ધ દિશામાં સળગાવવું જેથી જમીન ધીમા તાપે લાંબો સમય સુધી તપે આને રાબીંગ કહેવામાં આવે છે.

બાગાયતઃ
• રોપણીની પૂર્વ તૈયારી ઃ
• યોગ્ય અંતરે યોગ્ય માપના ખાડાઓ તૈયાર કરવા.
• ખાડાઓને ૧૫-૩૦ દિવસ સૂર્યના તાપમાં તપવા દેવા.
• ત્યારબાદ બે ભાગ માટી અને એક ભાગ કોહવાયેલા છાણીયા ખાતરના મિશ્રણથી ખાડાઓ પૂરેપૂરા ભરવા.

પશુપાલનઃ
• જાનવરોને હવા ઉજાસવાળા ઠંડા શેડમાં રાખવા. જેથી ગરમીના સમયે આરામદાયક રોગ માટેની વધારાની રસી મુકાવવી.
• ગાભણા જાનવરોની વિશેષ કાળજી લેવી. જેમાં
પોષક તત્વો મળી રહે તેવો ખોરાક જરૂરીયાતમાં આપવો. ગાભણ જાનવરોને વધુ દોડાવવા નહિ, સાંકડી જગ્યામાંથી બહાર કાઢવા નહિ વગેરે બાબતોની કાળજી લેવી.
• મે માસમાં બાકી રહેલ જાનવરોમાં ગળસુંઢા તથા ગાંઠીયા તાવનું રસીકરણ કરાવી લેવું.
• ખરવા – મોવાસાની દર છ માસે આપવાની થતી રસી

અપાવવી.
ઉધઈના નિયંત્રણ માટે કલોરપાયરીફોસ૨૫ મિ.લી. પ્રતિ ૧૫
લી.પાણીમાં નાખી ખાડા દીઠ જંતુનાશક દવા ૧૦૦ ગ્રામ પાવડર પણ મિક્ષણમાં ભેળવવો.
ષ્ રોપણી માટે જે તે ફળ પાકની પ્રમાણિત કલમો/રોપાઓ પસંદ કરવા. ફળપાકની જાત, રોપણી અને રોપણી બાદનીકાળજીઓ
• ભલામણ મુજબની જ જાત અપનાવી.
• વરસાદ થયેથી ભલામણ મુજબના ખાતરો આપી દેવા.
• મૂળકાંડ ઉપરથી ફૂટેલ નવી કુંપળો દુર કરવી.
• વૃદ્ધિ પામતા કલમ રોપને યોગ્ય આકાર આપવા માટે જરૂરી છાંટણી કરવી.
• દેશી ખાતરની અવેજીમાં લીલો પડવાશ કરીશકાય.
• ફળ પાકના વાવેતર માટે ચોમાસાની ઋતુ ઉત્તમ છે. અને સારો વરસાદ થયા બાદ રોપણી કરવી.
• કલમને મજબુત ટેકો આપવો તથા પવન અને ગરમતાપના રક્ષણ માટે વાડોલીયુ બનાવવું.
• વરસાદ ખેંચાય ત્યારે ૮ થી૧૦ દિવસે પિયત આપવું.
• વરસાદ દરમ્યાન ખામણામાં પાણી ભરાઈ ન રહે તેની કાળજીલેવી.
• છોડ ફરતે સમયાંતરે ગોડ તથા નિંદામણ કરવું.
• પવન અવરોધક વાડની જાળવણી કરવી તેમજ રોગ – જીવાત સામે સમયસર પગલા લેવા.
•ઉપરોક્ત તમામ બાબતોનો રેકર્ડ નિભાવવો.
• દરેક ફળઝાડને સમયસર સેન્દ્રીય અનેરાસાયણિક ખાતરો આપવા જાઈએ. ક્યા ખાતરો કેટલા પ્રમાણમાં આપવા તે ફળપાકની જાત, ઝાડની ઉમર તથા જમીનના પ્રકાર ઉપર આધાર રાખે છે. જે માટે ચોમાસામાં લીલો પડવાશ કરવો સલાહ ભરેલ છે. છાણિયું ખાતર ચોમાસા પહેલા એકજ હપ્તે આપી જમીનમાં ભેળવી દેવું. પુખ્ત વયના ફળપાકોને ૧.૫ મીટરના ઘેરાવામાં ૩૦ સેન્ટીમીટર પહોળી અને ૧૫ સેન્ટીમીટર ઊંડી ચર બનાવી ચરમાં ભલામણ મુજબ ખાતરો આપવા. સામાન્ય રીતે લોહ, જસત, મેંગેનીઝ તથા બોરોનની ઉણપવાળા સૌરાષ્ટ વિસ્તારમાં ખાસ કરીને લીંબુ અને જામફળમાં આ ઉણપ વધુ જાવા મળે છે. જે માટે ઝાડ પર વર્ષમાં એકથી બેવાર નવા પાન નીકળતા હોય ત્યારે લોહ એકથી બે ટકા, જસત ૦.૫ ટકા, મેંગેનીઝ ૦.૫ ટકાનો છંટકાવ કરવો હિતાવહ છે. ખાતર અંગેની તમામ બાબતોનો રેકર્ડ નિભાવવો.

ડો.જી.આર.ગોહિલ
જૂનાગઢ કૃષિ યુનિવર્સીટી, જૂનાગઢ