અમરેલી નગરપાલિકા વિરોધપક્ષના નેતા સેજલબેન પી. સોલંકીએ ગુરૂદત્ત મંદિરના દક્ષિણ દિશામાં આવેલા કોમ્યુનિટી હોલ, ગેટ પાસે અને સામેની દુકાનો, તેમજ સુખનિવાસ કોલોની તરફ જતા રસ્તા પર તાત્કાલિક પેવિંગ બ્લોક નાખવાની માંગ કરી છે. તેમણે અમરેલી નગરપાલિકા ચીફ ઓફિસરને પત્ર લખીને આ માંગ કરી છે.