અમરેલીમાં રહેતા એક પુરુષની પત્ની પાંચ વર્ષથી બાળકો સાથે રિસામણે હતી. જેથી તેને વિયોગ રહેતો હતો. આ કારણે ટ્રેન નીચે ઝંપલાવી મોત વ્હાલું કર્યુ હતું. બનાવ અંગે રાજેન્દ્રભાઈ ચીમનભાઈ ટીંબડીયા (ઉ.વ.૪૮)એ જાહેર કર્યા મુજબ, મુકેશભાઈ ચીમનભાઈ ટીંબડીયાને ઘણા સમયથી નશો કરવાની આદત હતી. તેના કારણે તેના પત્ની, બાળકો સાથે માવતર ગોમટા તા.ગોંડલ ખાતે છેલ્લા પાંચ વર્ષથી રિસામણે હતી. મૃતકને પત્ની તથા બાળકોનો વિયોગ તથા એકલતા સહન નહી થતા અમરેલી-વેરાવળ ટ્રેન નીચે પડતું મુકતાં મરણ પામ્યા હતા. અમરેલી સિટી પોલીસ સ્ટેશનના એએસઆઈ એન.બી. ગોહીલ વધુ તપાસ કરી રહ્યા છે.