અમરેલી જિલ્લા કલેકટર અજય દહિયાના અધ્યક્ષ સ્થાને માર્ગ સલામતી સમિતિની બેઠક મળી હતી. જેમાં અકસ્માત અટકાવવા માટે ચોમાસામા રસ્તાઓ પર પડેલા ખાડાઓને પુરવા માટે જિલ્લા પોલીસવડા હિમકરસિંહે સૂચન કર્યું હતું. ઉપરાંત જિલ્લા કલેકટરે જિલ્લાના માર્ગોને વધુ સલામત બનાવવા અને માર્ગ સુરક્ષાના કાયદાના અમલીકરણ અંગે માહિતી આપી હતી. અમરેલી જિલ્લા કલેક્ટર અજય દહિયાના અધ્યક્ષ સ્થાને જિલ્લા માર્ગ સલામતી સમિતિની બેઠક યોજાઈ હતી. જેમાં ગત બેઠકની સમીક્ષા સાથે આગામી સમયના આયોજન અને રોડ સેફ્‌ટીને લગતા કાર્યોની સમીક્ષા કરી હતી. જિલ્લાના માર્ગોને વધુ સલામત બનાવવા અને માર્ગ સુરક્ષાના કાયદાના અમલીકરણ અંગે સમિતિને માર્ગદર્શન આપવામાં આવ્યું હતું. ઉપરાંત નેશનલ હાઇવે,-માર્ગ મકાન વિભાગ રાજ્ય અને પંચાયતને તેમજ અમરેલીની નગરપાલિકા સહિતના સભ્યઓને માર્ગ સલામતી માટેના કાર્ય સતત શરૂ રાખવા માટે સૂચન કર્યુ હતુ.બેઠકમાં એ.આર.ટી.ઓ પઢિયારે સમગ્ર અહેવાલ રજૂ કર્યો હતો. તેમજ જિલ્લામાં સંભવિત અકસ્માત ક્ષેત્રોમાં ક્રેશ બેરિયરની, સાઇનેઝ, અકસ્માતની સંભાવના વધુ રહેતી હોય તેવા માર્ગો પર સફેદ પટ્ટા લગાડવાની કામગીરીની સમીક્ષા કરવામાં આવી હતી. આ ઉપરાંત અમરેલી નગરના શહેરી વિસ્તારમાંથી પસાર થતા મહ¥વના રોડ પર આવતી સોસાયટીના એપ્રોચ રોડ પર અંદરની તરફ સ્પીડ બ્રેકર મૂકવા આદેશ કરવામાં આવ્યા હતા. તેમજ બાઈક ચાલકોને પાણી ભરાઈ જવાની સ્થિતિમાં અકસ્માતનો સામનો ન કરવો પડે તે હેતુથી જિલ્લા પોલીસવડા હિંમકરસિંહે ચોમાસા દરમિયાન માર્ગો પર પડેલા ખાડાઓનું સમારકામ કરવા પણ સૂચન કર્યું હતું. આ બેઠકમાં એએસપી વલય વૈદ્ય સહિતના અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા.