અમરેલી ખાતે સૌરાષ્ટ્રમાં રહેતા સર્વ જ્ઞાતિ સમાજના ૩૫મા સમૂહલગ્નનું સુમન સેવા ટ્રસ્ટ અમરેલી દ્વારા તા. ૨૮-૬-૨૦૨૫ ના રોજ આયોજન કરવામાં આવેલ છે. માતા-પિતાની છત્રછાયા ગુમાવેલ તેમજ વિકલાંગ યુવક-યુવતીઓને વિનામૂલ્યે લગ્ન સરકારના સમૂહલગ્ન સાતફેરા યોજનામાં તથા બાર હજાર તથા લગ્ન રજીસ્ટ્રેશન કરાવી આપવામાં આવશે. લગ્ન નોંધણી વહેલા તે પહેલા કરવામાં આવશે. નીચેના સરનામે મંડળ પ્રમુખ રમેશભાઈ એસ. ગોહિલ શ્રીરામ એસ્ટેટ, જુના માર્કેટીંગ યાર્ડ અંદર, હરીરામ હોલસેલ માર્કેટ, દુ.નં. ૧૩, પહેલા માળે, અમરેલી ૯૩૭૪૭૩૪૮૨૦ તેમજ પરશોતમભાઈ એન. મકવાણા મો. ૯૪૨૮૭ ૯૮૬૪૭ તથા રમેશભાઈ આર. ડાભી મો. ૯૧૦૪૪૧૯૬૪૧ પર સંપર્ક કરવા જણાવાયું છે.