અમરેલી જિલ્લા જજ રિઝવાના બુખારીએ અમરેલી જિલ્લા જેલ ખાતે વિપશ્યના પરિચય શિબિર કરવાની પ્રેરણા આપી હતી. જિલ્લા કાનૂની સેવા સત્તા મંડળના સેક્રેટરી આર.વાય.ત્રિવેદી તથા જેલ અધિક્ષક ડી.પી.રબારીએ જહેમત ઉઠાવીને અમરેલી જેલ ખાતે વિપશ્યના પરિચય શિબિરનું આયોજન હાથ ધર્યુ હતું. અમરેલી વિપશ્યના કેન્દ્રના માર્ગદર્શક દ્વારકાદાસ લલાડીયાએ જિલ્લા જેલ ખાતે સદર શિબિરમાં વિપશ્યના અંગે વિસ્તૃત વિગતો આપી હતી. આશરે ૩૦૦ જેટલા કેદીઓએ આ સાધનાનો લાભ લીધો હતો. કાર્યક્રમ દરમિયાન કેદીઓને ‘ડોક્ટરની દ્રષ્ટિએ વિપશ્યના’ પુસ્તકનું વિતરણ કરવામાં આવ્યુ હતું.