(એ.આર.એલ),નવીદિલ્હી,તા.૨૫
ઉત્તરપ્રદેશની રાયબરેલી લોકસભા બેઠકના સાંસદ અને લોકસભામાં વિપક્ષના નેતા રાહુલ ગાંધી શુક્રવારે (૨૬ જુલાઈ) માનહાનિ કેસમાં સુલતાનપુરની એમપી-એમએલએ કોર્ટમાં હાજર થશે.
અમિત શાહ માનહાનિ(હેટ સ્પીચ) કેસમાં કોર્ટે આગામી તારીખ ૨૬ જુલાઈ આપી હતી. જજે છેલ્લી સુનાવણી દરમિયાન કહ્યું હતું કે, જા રાહુલ ૨૬ જુલાઈના રોજ ખુદ હાજર નહીં થાય તો તેની સામે કાર્યવાહી કરવામાં આવશે.૨ જુલાઈના રોજ કોંગ્રેસ નેતા રાહુલ ગાંધી માનહાનિના કેસમાં સુલતાનપુરના એમપી-એમએલએ કોર્ટમાં હાજર થવાના હતા. રાહુલના વકીલે સંસદમાં વ્યસ્ત હોવાનું કારણ આપીને માફી માંગી. જે બાદ કોર્ટે આ વાતનો સ્વીકાર કર્યો અને રાહુલ ગાંધીને ૨૬ જુલાઈએ હાજર થવાનો આદેશ આપ્યો હતો.રાહુલ ગાંધીના વકીલ કાશી પ્રસાદ શુક્લાનું કહેવું છે કે, સુલતાનપુરની એમપી-એમએલએ કોર્ટ ગૃહમંત્રી અમિત શાહ વિરુદ્ધ અશોભનીય ટિપ્પણી કરવાના કેસની સુનાવણી કરી રહી છે. જાકે, કર્ણાટકમાં આપેલા નિવેદન પર અહીં સુનાવણી ચાલી રહી છે. આ દરમિયાન રાહુલ ગાંધીને તેમનું નિવેદન નોંધવા માટે કોર્ટ દ્વારા વ્યક્તગત રીતે બોલાવવામાં આવ્યા છે.સાડા પાંચ વર્ષ પહેલા કર્ણાટક વિધાનસભા ચૂંટણી દરમિયાન પ્રેસ કોન્ફરન્સમાં રાહુલ ગાંધીએ ભાજપના તત્કાલીન રાષ્ટય અધ્યક્ષ અને વર્તમાન કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ વિરૂદ્ધ વાંધાજનક નિવેદન આપ્યું હતું. આ નિવેદનથી દુઃખી થઈને ભાજપના તત્કાલીન સુલતાનપુર જિલ્લા ઉપાધ્યક્ષ વિજય મિશ્રાએ રાહુલ ગાંધી વિરૂદ્ધ ફરિયાદ નોંધાવી હતી.
જેમાં ભાજપના નેતા વિજય મિશ્રાએ વર્ષ ૨૦૧૮માં રાહુલ ગાંધી સામે માનહાનિનો કેસ દાખલ કર્યો હતો. ભાજપ નેતા વિજય મિશ્રાના વકીલ સંતોષ કુમાર પાંડેએ કહ્યું કે, જા રાહુલ ગાંધી વિરૂદ્ધ પૂરતા પુરા