જાતિની વસ્તી ગણતરી દેશની રાજનીતિના કેન્દ્રમાં છે. રાષ્ટÙીય સ્વયંસેવક સંઘ આ અંગે વિચારી રહ્યું છે. તે તેના ચૂંટણી અને રાજકીય ઉપયોગના અત્યંત વિરોધમાં છે. આ દરમિયાન કોંગ્રેસે આરએસએસ પર મોટો આરોપ લગાવ્યો છે. સોશિયલ મીડિયા પ્લેટફોર્મ એકસ પર એક પોસ્ટમાં કોંગ્રેસે આરએસએસને જાતિ ગણતરીનો વિરોધી ગણાવ્યો છે.
કોંગ્રેસે પોતાની પોસ્ટમાં કહ્યું છે કે,આરએસએસએ જાતિ ગણતરીનો ખુલ્લેઆમ વિરોધ કર્યો છે. આરએસએસનું કહેવું છે કે જાતિની વસ્તી ગણતરી સમાજ માટે સારી નથી. આ નિવેદનથી સ્પષ્ટ થાય છે કે ભાજપ અને આરએસએસ જાતિ ગણતરી કરાવવા માંગતા નથી. તેઓ દલિતો, પછાત વર્ગો અને આદિવાસીઓને તેમના અધિકારો આપવા માંગતા નથી.
આ જ પોસ્ટમાં કોંગ્રેસે આગળ કહ્યું છે કે લેખિતમાં રાખો કે જાતિ ગણતરી થશે અને કોંગ્રેસ તે કરાવશે. તમને જણાવી દઈએ કે આ મુદ્દે સંઘનું માનવું છે કે આ ખૂબ જ ગંભીર અને સંવેદનશીલ મુદ્દો છે, જે રાષ્ટÙીય એકતાના દૃષ્ટિકોણથી ખૂબ જ મહત્વપૂર્ણ છે. તેનો ઉપયોગ ચૂંટણી, ચૂંટણી પ્રચાર કે રાજકારણ માટે થવો જાઈએ નહીં.
સંઘનું કહેવું છે કે જાતિ ગણતરીના આધારે રાજકારણ ન કરવું જાઈએ. સંઘના પ્રચાર પ્રમુખ સુનીલ આંબેકરે સ્પષ્ટ કહ્યું કે જાતિ ગણતરીને રાજકીય સાધન તરીકે ન લેવી જાઈએ. તે જ સમયે, વિપક્ષ આ મુદ્દે એનડીએ સરકાર પર સતત પ્રહારો કરી રહ્યું છે.