અમરેલીમાં એસ.એચ.ગજેરા સ્કૂલમાં પ્રાથમિક વિભાગના વિદ્યાર્થીઓ માટે વિશ્વ સર્પ દિવસની ઉજવણીના ભાગરૂપે સેમિનારનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં વિદ્યાર્થીઓને ઝેરી સર્પ વિશે માહિતી આપવામાં આવી હતી. ઉપરાંત બિનઝેરી સર્પ મળે તો શું કરવું, સાપ કરડે તો શું કરવું તેની અશોકભાઈ પાંભર દ્વારા માહિતી આપવામાં આવી હતી.