(એ.આર.એલ),ટોરેન્ટો,તા.૨૫
કેનેડા અને અમેરિકામાં રહીને ભારત વિરુદ્ધ આતંકવાદી ષડયંત્ર રચનાર ગુરપતવંત સિંહ પન્નુની હિંમત હવે એટલી વધી ગઈ છે કે તેણે કેનેડાના ચૂંટાયેલા સાંસદને ખુલ્લેઆમ ધમકીઓ આપવાનું શરૂ કરી દીધું છે. આતંકવાદી પન્નુ ભારતીય મૂળના હિંદુ કેનેડિયન સાંસદને માત્ર ધમકી જ નથી આપી રહ્યો, પરંતુ તેને ભારત પરત આવવા માટે પણ કહી રહ્યો છે.
ખાલિસ્તાની આતંકવાદી ગુરપતવંત સિંહ પન્નુએ એક વીડિયો જાહેર કર્યો છે, જેમાં તે કેનેડાના હિન્દુ સાંસદ ચંદ્ર આર્યને તેના સમર્થકો સાથે ભારત જવા માટે કહી રહ્યો છે. ખરેખર, ચંદ્ર આર્ય કેનેડાના એ જ હિન્દુ સાંસદ છે, જે કેનેડામાં સતત ફેલાતા ખાલિસ્તાની આતંકવાદ સામે અવાજ ઉઠાવી રહ્યા છે. કેનેડાની સંસદથી લઈને વિવિધ મંચો પર ચંદ્ર આર્યએ પન્નુની ભારત વિરોધી પ્રવૃત્તિઓનો પર્દાફાશ કર્યો છે. સૌથી મહત્વની વાત એ છે કે ચંદ્ર આર્ય કેનેડાના વડાપ્રધાન જસ્ટન ડોની લિબરલ પાર્ટીના સાંસદ છે.
આ વીડિયોમાં પન્નુએ કહ્યું, ‘ચંદ્ર આર્ય અને તેના સમર્થકો માટે કેનેડામાં કોઈ જગ્યા નથી. ચંદ્ર આર્ય કેનેડામાં ભારતના એજન્ડાનો પ્રચાર કરી રહ્યા છે. તેણે તેની કેનેડિયન નાગરિકતા છોડી દેવી જાઈએ અને ભારત પરત ફરવું જાઈએ. ચંદ્ર આર્ય અને તેમના સમર્થકો ખાલિસ્તાનીઓ વિરુદ્ધ કામ કરી રહ્યા છે. કેનેડામાં રહેતા ખાલિસ્તાની શીખોએ કેનેડા પ્રત્યે તેમની દેશભક્ત સાબિત કરી છે. અમે કેનેડાને વફાદાર છીએ.
ચંદ્ર આર્યએ પણ ખાલિસ્તાની પન્નુના વીડિયો પર વળતો જવાબ આપ્યો હતો. તેમણે કહ્યું, ‘ખાલિસ્તાનીઓએ એડમોન્ટન (કેનેડામાં એક શહેર)માં હિન્દુ જી સ્વામિનારાયણ મંદિરમાં તોડફોડ કરી અને નફરત ફેલાવી. મેં તેના પગલાની નિંદા કરી. મારી નિંદાના જવાબમાં શીખ ફોર જસ્ટસના ગુરપતવંત સિંહ પન્નુએ એક વીડિયો જાહેર કર્યો છે. પન્નુ મને અને મારા હિંદુ-કેનેડિયન મિત્રોને ભારત પાછા ફરવાનું કહી રહ્યા છે. પરંતુ હું તેમને કહેવા માંગુ છું કે આપણે હિન્દુઓ વિશ્વના તમામ ભાગોમાંથી કેનેડા આવ્યા છીએ. કેનેડા આપણી ભૂમિ છે. અમે કેનેડાના સામાજિક-આર્થિક વિકાસમાં મોટો ફાળો આપ્યો છે. પરંતુ હવે આ જમીન ખાલિસ્તાની ઉગ્રવાદીઓ દ્વારા પ્રદૂષિત કરવામાં આવી રહી છે.
પન્નુ કેનેડિયન અને અમેરિકન નાગરિક છે, જે ખાલિસ્તાની સંગઠન શીખ ફોર જÂસ્ટસના વડા તરીકે સેવા આપે છે. ખાલિસ્તાનના સમર્થક પન્નુ, વ્યવસાયે વકીલ છે અને અલગ શીખ રાષ્ટÙ, ખાલિસ્તાનની માંગણીના લોકમતના મુખ્ય આયોજક રહ્યા છે. આ લોકમત કેનેડા, બ્રિટન અને ઓસ્ટ્રેલિયા જેવા મોટા ભારતીય ડાયસ્પોરા ધરાવતા દેશોમાં યોજવામાં આવ્યો છે. ભારત વિરુદ્ધ ઝેર ઓકતા પન્નુએ થોડા સમય પહેલા દાવો કર્યો હતો કે જનમત અભિયાન ચલાવવા માટે ભારત મને મારવા માંગે છે. ભારત આંતરરાષ્ટય આતંકવાદ અને અમેરિકાના સાર્વભૌમત્વ માટે સીધો પડકાર બની ગયો છે.પંજાબના નાથુ ચક ગામના મૂળ પન્નુએ પ્રારંભિક શિક્ષણ લુધિયાણામાંથી મેળવ્યું હતું અને બાદમાં અમૃતસર નજીક ખાનકોટમાં સ્થાયી થયા હતા. પન્નુના પિતા મહિન્દર સિંહ પંજાબ માર્કેટિંગ બોર્ડના સેક્રેટરી હતા. એવું માનવામાં આવે છે કે તેણે ૧૯૯૦ના દાયકામાં પંજાબ યુનિવર્સિટીમાંથી સ્નાતકની ડિગ્રી મેળવી હતી. તેઓ તેમના કોલેજકાળથી જ રાજકારણમાં સક્રિય થયા હતા. આ પછી તે વિદેશ ગયો હતો. ત્યાં, તેણે શરૂઆતના કેટલાક વર્ષો સુધી કેબ ડ્રાઇવર તરીકે કામ કર્યું અને પછીથી કાયદાની પ્રેક્ટસ શરૂ કરી. ૨૦૦૭માં, તેણે ની સ્થાપના કરી અને ખાલિસ્તાનના કટ્ટર સમર્થક બન્યા. ભારત વિરુદ્ધ એજન્ડા ચલાવનાર પન્નુને આ કામમાં પાકિસ્તાની ગુપ્તચર સંસ્થા આઇએસઆઇની મદદ મળે છે.