બંગલો નંબર ૧, રવિશંકર શુક્લા લેન, નવી દિલ્હી હવે આમ આદમી પાર્ટીના મુખ્યાલયનું નવું સરનામું હશે
(એ.આર.એલ),નવીદિલ્હી,તા.૨૫
લાંબી ચર્ચા બાદ આખરે આમ આદમી પાર્ટીના કાર્યાલયનું સરનામું બદલાઈ ગયું છે. સૂત્રોના જણાવ્યા પ્રમાણે આમ આદમી પાર્ટીને નવી ઓફિસ ફાળવવામાં આવી છે. સૂત્રોના જણાવ્યા અનુસાર કોર્ટના આદેશ પર કેન્દ્ર સરકારે આમ આદમી પાર્ટી માટે નવી ઓફિસ ફાળવી છે. તમને જણાવી દઈએ કે આપ બે રાજ્યો એટલે કે કેન્દ્રશાસિત પ્રદેશ દિલ્હી અને પંજાબમાં સત્તામાં છે.
સૂત્રો પાસેથી પ્રાપ્ત માહિતી અનુસાર, આમ આદમી પાર્ટીને નવી દિલ્હીમાં રવિશંકર શુક્લા લેનમાં નવી ઓફિસ ફાળવવામાં આવી છે. માહિતી અનુસાર, બંગલો નંબર ૧, રવિશંકર શુક્લા લેન, નવી દિલ્હી હવે આમ આદમી પાર્ટીના મુખ્યાલયનું નવું સરનામું હશે.
માર્ચ મહિનામાં પોતાનો આદેશ આપતા સુપ્રીમ કોર્ટે કહ્યું હતું કે જ્યાં આમ આદમી પાર્ટીનું કાર્યાલય છે, તે દિલ્હી હાઈકોર્ટને આપવામાં આવેલી જમીન પર અતિક્રમણ છે. આ જમીનનો હેતુ રાઉઝ એવન્યુ કોર્ટ માટે વધારાનો કોર્ટરૂમ બાંધવાનો છે. તે જ સમયે, આમ આદમી પાર્ટી વતી વકીલ અભિષેક મનુ સિંઘવીએ કહ્યું હતું કે આ જમીન ૨૦૧૫ દરમિયાન ને આપવામાં આવી હતી. આ પક્ષ દેશના છ રાષ્ટય પક્ષોમાંનો એક છે અને તેને પ્લોટની જરૂર છે.
આમ આદમી પાર્ટીનું મુખ્ય કાર્યાલય એવા સમયે બદલાયું છે જ્યારે થોડા મહિનાઓ બાદ દિલ્હીમાં વિધાનસભાની ચૂંટણી યોજાવાની છે. તમને જણાવી દઈએ કે આમ આદમી પાર્ટીના રાષ્ટય સંયોજક અરવિંદ કેજરીવાલ, જેઓ દિલ્હીના મુખ્યમંત્રી પણ છે, હાલમાં જેલમાં છે. દિલ્હીના પૂર્વ નાયબ મુખ્યમંત્રી મનીષ સિસોદિયા પણ જેલમાં છે. દિલ્હી દારૂ કૌભાંડ કેસમાં પાર્ટી મુશ્કેલીનો સામનો કરી રહી છે. આવી સ્થતિમાં પાર્ટીએ નવા કાર્યાલયમાં જતાની સાથે જ ચૂંટણીની તૈયારી શરૂ કરવી પડશે.