(એ.આર.એલ),મુંબઇ,તા.૨૪
મરાઠા આરક્ષણ કાર્યકર્તા મનોજ જરાંગે પાટીલ મુશ્કેલીમાં છે. મહારાષ્ટમાં પુણેની એક કોર્ટે મંગળવારે જરાંગે વિરુદ્ધ બિનજામીનપાત્ર વોરંટ જારી કર્યું છે. તમને જણાવી દઈએ કે
જરંગે પાટીલ રાજ્યના જાલના સ્થત પોતાના ગામમાં અનામતની માંગ સાથે ભૂખ હડતાળ પર બેઠા છે. મનોજ જરાંગે પાટિલના વકીલે આ માહિતી આપી છે. ચાલો જાણીએ આખો મામલો.૨૦૧૩ના છેતરપિંડીના કેસમાં પુણેની અદાલત દ્વારા મનોજ જરાંગે પાટિલ વિરુદ્ધ બિનજામીનપાત્ર વોરંટ જારી કરવામાં આવ્યું છે. અગાઉ ૩૧ મેના રોજ જરાંગે વિરુદ્ધ બિનજામીનપાત્ર વોરંટ જારી કરવામાં આવ્યું હતું. ત્યારબાદ જરાંગે કોર્ટમાં હાજર થયો હતો. ત્યારબાદ કોર્ટે બિનજામીનપાત્ર વોરંટ રદ કર્યું, પરંતુ તેના પર ૫૦૦ રૂપિયાનો દંડ ફટકાર્યો. જરાંગે આ કેસમાં મંગળવારે જ્યુડિશિયલ મેજિસ્ટ્રેટ સમક્ષ હાજર થવાનો હતો પરંતુ તે હાજર થયો ન હતો.
બિનજામીનપાત્ર વોરંટ જારી થયા બાદ જરાંગે પાટીલના વકીલે કહ્યું છે કે જરાંગે હાલમાં ભૂખ હડતાળ પર બેઠા છે, તેથી તે મેજિસ્ટ્રેટ સમક્ષ હાજર થઈ શક્યા નથી. અમે તેમને કોર્ટમાં રજૂ કરીશું અને બિનજામીનપાત્ર વોરંટ રદ કરાવીશું. તમને જણાવી દઈએ કે જરાંગે અને અન્ય બે લોકો સામે ૨૦૧૩માં ભારતીય દંડ સંહિતાની કલમ ૪૨૦ (છેતરપિંડી) અને ૪૦૬ (વિશ્વાસનો ફોજદારી ભંગ) હેઠળ કેસ નોંધવામાં આવ્યો હતો.મનોજ જરાંગે પાટીલ ૨૦ જુલાઈથી મરાઠા આરક્ષણ મુદ્દે ઉપવાસ પર છે. જા કે મરાઠા નેતા જરાંગે પાટીલે તેમના ઉપવાસ મોકૂફ રાખવાની જાહેરાત કરી છે. જરાંગે મહારાષ્ટÙ સરકારને ૧૩ ઓગસ્ટ સુધીનો સમય આપ્યો છે.