ખાંભાના મોટા સરાકડીયા ગામેથી એક પુરુષ ઘરે કોઈને જાણ કર્યા વગર ક્યાંક જતો રહ્યો હતો. બનાવ અંગે હાલ મુંબઈ રહેતા અને ગુમ થનારાના પત્ની શિલ્પાબેન રાઠોડ (ઉ.વ.૩૧)એ જાહેર કર્યા મુજબ, તેમના પતિ રાહુલભાઈ ઉર્ફે પ્રવિણભાઈ રાઠોડ ૧૦ દિવસ પહેલાં ઘરે કોઈને કાંઈ જાણ કર્યા વગર અને કહ્યા વગર પોતાની મેળે ક્યાંક જતા રહ્યા હતા. ખાંભા પોલીસ સ્ટેશનના એએસઆઈ ઋત્વિકભાઈ એસ. પરમાર વધુ તપાસ કરી રહ્યા છે.