ખાંભાના નેસડી-૨ ગામે એક પુરુષે મને વગર વાંકે શું કામ મારો છો તેમ કહેતા તેને ફટકારવામાં આવ્યો હતો. ઉપરાંત હવે પછી સામો મળીશ તો જાનથી મારી નાખીશ તેવી ધમકી આપી હતી. બનાવ અંગે નરશીભાઈ ઉર્ફે નરેશભાઈ છનાભાઈ વાળા (ઉ.વ.૪૭)એ જીજ્ઞેશભાઈ અરજણભાઈ વાળા સામે ફરિયાદ નોંધાવી હતી. પોલીસમાં જાહેર થયેલી વિગત પ્રમાણે, તેઓ તેમના ગામમાં દુકાને દૂધની થેલી લેવા ગયા હતા. તે સમયે આરોપીએ આવી તેમને વગર વાંકે ધક્કો મારી પછાડી દીધા હતા. જેથી તેમણે મને વગર વાંકે શું કામ મારો છો તેમ કહેતા સારું નહોતું લાગ્યું અને ગાળો આપી મુંઢ ઈજા કરી હતી. તેમજ હવે પછી સામો મળીશ તો જાનથી મારી નાખીશ તેવી ધમકી આપી હતી.