કોડીનાર, તા.ર૩
ગુરૂપૂર્ણિમા મહોત્સવની સમગ્ર દેશભરમાં વિધિવત ઉજવણી કરવામાં આવી હતી ત્યારે કોડીનાર ખાતે રાજયભરમાં સર્વપ્રથમ ૧૮ પુરાણો સાથે મહર્ષિ વ્યાસ ગૌરવ યાત્રા યાજાઈ હતી. જે અન્વયે ભવ્ય શોભાયાત્રા કાઢવામાં આવી હતી જેમાં સહભાગી થઈને હજારો ભક્તોએ જાડાઈને આરતી, પૂજન અને મહાપ્રસાદનો લાભ લઈ ધન્યતા અનુભવી હતી.