ચંદ્રયાન-૩નું લેન્ડર વિક્રમ ચંદ્ર પર સૂઈ રહ્યું છે, પરંતુ તેના ડેટાના સંશોધનમાં ચોંકાવનારી બાબતો સામે આવી છે. વિક્રમ લેન્ડર પર ઘણા પ્રકારના ઈન્સ્ટમેન્ટ લગાવવામાં આવ્યા છે, જેમાં તેણે તેના લુપ્ત થતા પહેલા ડેટા એકત્રિત કર્યો હતો. તે માહિતી અનુસાર ચંદ્રની ધરતી પર એક દુર્લભ વસ્તુ મળી આવી છે. ચંદ્રયાન-૩ મિશન જેની શોધમાં છે તે ચંદ્ર પર મળી શકે છે. હા, ચંદ્ર પર પહેલા કરતા વધુ પાણીનો બરફ હોઈ શકે છે.
ચંદ્રયાન-૩ પરના સાધનોમાંથી એકના ડેટાનું વિશ્લેષણ સૂચવે છે કે ચંદ્રના ધ્રુવીય પ્રદેશોના બહારના વિસ્તારોમાં પાણીનો બરફ હોઈ શકે છે. અમદાવાદની ફિઝિકલ રિસર્ચ લેબોરેટરીમાં સરફેસ થર્મોફિઝિકલ એક્સપેરીમેન્ટના વૈજ્ઞાનિકોએ ચંદ્ર પરથી એકત્ર કરાયેલા ડેટા પર સંશોધન કરીને તેમના રિપોર્ટમાં ચંદ્ર પર જીવનના ચિહ્નો મળવાની સંભાવના વ્યક્ત કરી હતી, જે જા સાચી સાબિત થશે તો ચંદ્ર પર માનવ વસાહત સ્થાપવાનું વૈજ્ઞાનિકોનું સ્વપ્ન સાકાર થઈ શકે છે.
ચંદ્રની સપાટી અને તેની પેટા સપાટીના તાપમાનમાં ઘણો તફાવત છે. ચંદ્રના વિસ્તારો કે જે સૂર્યપ્રકાશ મેળવતા નથી અને ધ્રુવીય પ્રદેશોમાં સમાન તાપમાન હોઈ શકે છે અને સપાટીની નીચે પાણીનો બરફ હોઈ શકે છે. અવકાશ વિજ્ઞાનીઓએ તેમના સંશોધન નેચર પબ્લીકેશનના જર્નલમાં પ્રકાશિત કર્યા છે.
અમદાવાદ લેબમાં કરવામાં આવેલ પ્રયોગ એ એક પ્રકારનું થર્મોમીટર છે, જે ધ્રુવીય પ્રદેશોમાં ચંદ્રની સપાટી અને ઉપ-સપાટીનું તાપમાન માપે છે. આ પહેલા સેટેલાઇટથી મળેલી માહિતીના આધારે આ વિસ્તારોના તાપમાનનો અંદાજ લગાવવામાં આવતો હતો. ઝ્રરટ્ઠજી્ઈ એ અગાઉ સૂચવ્યું હતું કે ચંદ્રની સપાટીના તાપમાન અને તેની નીચેના સ્તર વચ્ચે ૬૦ ડિગ્રી સેલ્સીયસનો તફાવત હોઈ શકે છે. અત્યાર સુધી એવું માનવામાં આવતું હતું કે પાણીનો બરફ ફક્ત ચંદ્રના ધ્રુવીય પ્રદેશોમાં જ છે, ખાસ કરીને એવા ખાડાઓ નીચે જ્યાં સૂર્યના કિરણો પહોંચતા નથી. ચંદ્રયાન-૩ પણ દક્ષિણ ધ્રુવની લગભગ ૭૦ ડિગ્રી દક્ષિણે લેન્ડ થયું હતું.
તમને જણાવી દઈએ કે ઓક્ટોબર ૨૦૦૮માં લોન્ચ કરાયેલ પ્રથમ ચંદ્ર મિશન ચંદ્રયાનમાં ચંદ્ર પર પાણીની હાજરીની પુષ્ટિ થઈ હતી. ચંદ્રયાન-૧ સંશોધનમાં દક્ષિણ ધ્રુવ પર પાણીની હાજરીનો સંકેત મળ્યો હતો. તેથી, ચંદ્રયાન-૩ પણ દક્ષિણ ધ્રુવમાં ઉતરાણ કરવામાં આવ્યું હતું, જે હંમેશા અંધકારમાં ડૂબી જાય છે, કારણ કે સૂર્યના કિરણો ત્યાં પહોંચતા નથી. હવે ચંદ્રયાન-૩ના ડેટા પરથી જાણવા મળ્યું છે કે બરફની ચાદર માત્ર દક્ષિણ ધ્રુવની નીચે જ નહીં પરંતુ સૂર્યના કિરણો જ્યાં પહોંચે છે તેની બહાર પણ હોઈ શકે છે.