ચલાલામાં રહેતા સગરાભાઈ સવજીભાઈ વાઘેલા (ઉ.વ.૫૨)એ જાહેર કર્યા મુજબ, તેમના પુત્રવધુ દક્ષાબેન કાળાભાઈ વાઘેલા તથા તેઓ ભાગવી રાખેલી ચતુરભાઈની વાડીએ હતા. તે સમયે ઘરમાં ડાબા હાથની આંગળીમાં તેમની પુત્રવધુને સાપે ડંખ મારતાં સારવાર દરમિયાન મોત થયું હતું. ચલાલા પોલીસ સ્ટેશનના હેડ કોન્સ્ટેબલ આરડી વાળા વધુ તપાસ કરી રહ્યા છે.