(એ.આર.એલ),જામનગર,તા.૨૪
જામનગરમાં બે બાળકનું ચાંદીપુરા વાઇરસથી મોત નીપજતા સનસનાટી મચી ગઈ છે. સરકારી જીજી હોસ્પટલમાં સારવાર મેળવી રહેલા જામનગરના ગુલાબનગર વિસ્તારના પાંચ વર્ષના બાળકનું ચાંદીપુરા વાઇરસના લીધે મોત નીપજતા હોÂસ્પટલના વર્તુળોમાં ભારે દોડધામ મચી ગઈ છે. આ ઉપરાંત અન્ય બે બાળ દર્દીઓના રિપોર્ટ નેગેટિવ આવ્યા છે.
જામનગરના ગુલાબ નગર વિસ્તારમાં રહેતા પાંચ વર્ષના એક બાળકને ગઈકાલે ચાંદીપુરા વાયરસના શંકાસ્પદ લક્ષણ જણાયા હોવાથી ગંભીર હાલતમાં સારવાર માટે જામનગરની જી.જી. હોÂસ્પટલમાં ખસેડવામાં આવ્યો હતો, જ્યાં સારવાર દરમિયાન બુધવારે સવારે તેનું નિધન થયું છે. આ સિવાય મંગળવારે સારવાર અર્થે આવેલા લાલપુરના ૧૧ વર્ષને ૮ માસના એક બાળકનું બુધવારે સારવાર દરમિયાન મૃત્યુ નીપજતાં હોસ્પટલ વર્તુળમાં દોડધામ થઈ છે.
જામનગર અને લાલપુરમાં આરોગ્ય વિભાગની ટુકડી પણ દોડતી થઈ છે. જામનગરની સરકારી જી.જી. હોસ્પટલમાં ચાંદીપુર વાયરસની બીમારીના કારણે મૃત્યુનો આંક ૩ નો થયો છે. અને હાલ ૪ બાળ દર્દીઓ જી.જી. હોÂસ્પટલમાં સારવાર હેઠળ છે. આ ઉપરાંત જામનગર તાલુકાના સિક્કા ગામની છ વર્ષની એક બાળકી તેમજ લાલપુરના પડાણાની પાંચ વર્ષની એક બાળકીની જામનગરની જી.જી. હોસ્પટલમાં ચાંદીપુરા વાયરસના શંકાસ્પદ દર્દી તરીકે સારવાર મેળવી રહ્યા છે, જે બંને બાળદર્દીના રિપોર્ટ આજે સવારે નેગેટિવ આવ્યા છે, જેથી આરોગ્ય તંત્ર એ થોડો રાહતનો શ્વાસ લીધો છે.ગુજરાતમાં મંગળવારે (૨૩ જુલાઈ) ચાંદીપુરાના શંકાસ્પદ ૧૪ કેસ નોંધાયા હતા. આ સાથે જ શંકાસ્પદ કેસનો આંક વધીને ૧૦૧ થયો છે. પોઝિટિવ કેસમાં હજુ કોઈ વધારો થયો નથી અને તે હાલ ૨૨ છે. આજે અમદાવાદ કોર્પોરેશન અને ગાંધીનગર ગ્રામ્યમાંથી ૧-૧ના શંકાસ્પદ ચાંદીપુરાથી મૃત્યુ થયા છે. આ સાથે જ શંકાસ્પદ ચાંદીપુરાથી મરણાંક વધીને ૩૮ થયો છે. ચાંદીપુરાથી સૌથી વધુ પંચમહાલમાં પાંચ જ્યારે અમદાવાદમાં ચારના મૃત્યુ થયા છે. ગુજરાતમાં હાલ વાયરલ એન્કેફેલાઈટિસ (શંકાસ્પદ ચાંદીપુરા)ના ૪૯ કેસ છે અને તેમાંથી ૧૪ને રજા અપાઈ છે.