ગામલોકો તેમના ગામ માટે યોગદાન આપે છે પરંતુ ચાડીયા ગામના ભાણેજ બાબુભાઈ પેથાણીના પુત્રોએ આ વાતને ચરિતાર્થ કરી બતાવી છે. અશ્વિનભાઈ પેથાણી અન્નપૂર્ણા ચેરીટેબલ ટ્રસ્ટના ટ્રસ્ટી છે, તેમણે પોતાના પિતાના નામ સાથે બાબુભાઈ રામજીભાઈ પેથાણી સરોવર નામ આપી મુખ્ય દાન આપીને ગૌરવ રૂપી દાખલો બેસાડ્‌યો હતો. આ કાર્યને લઈ ચાડીયા ગામ દ્વારા તેમનો આભાર માનવામાં આવ્યો હતો તેમ વલ્લભભાઈ રામાણીની યાદીમાં જણાવાયું છે.