(એ.આર.એલ),મુંબઇ,તા.૨૨
એક તરફ ભારતીય ક્રિકેટ ટીમ ન્યુઝીલેન્ડ સામે ટેસ્ટ સીરીઝ રમવામાં વ્યસ્ત છે. બીજી તરફ દેશમાં પ્રતિષ્ઠિત ડોમેસ્ટક ટુર્નામેન્ટ રણજી ટ્રોફી રમાઈ રહી છે. ટેસ્ટ શ્રેણીમાં ભારતના મોટાભાગના સ્ટાર ખેલાડીઓ રમી રહ્યા છે. પરંતુ કેટલાક એવા ખેલાડીઓ છે જેઓ રણજી ટ્રોફીને બદલે ઓમાનમાં રમાઈ રહેલા ઈમ‹જગ એશિયા કપ જેવી ટુર્નામેન્ટમાં ભાગ લઈ રહ્યા છે. આના કારણે મહાન ભારતીય ક્રિકેટર સુનીલ ગાવસ્કર ગુસ્સે થઈ ગયા છે. ગાવસ્કરનું માનવું છે કે પ્રતિષ્ઠિત સ્થાનિક ક્રિકેટ ટુર્નામેન્ટ રણજી ટ્રોફીનું મહત્વ રાજ્યની ટીમોને બદલે અન્ય ટુર્નામેન્ટમાં ભાગ લેતા ખેલાડીઓને કારણે ઘટી રહ્યું છે.રણજી ટ્રોફીની સિઝન ૧૧ ઓક્ટોબરથી શરૂ થઈ હતી, પરંતુ બીજા રાઉન્ડથી ઘણા ખેલાડીઓ ટૂર્નામેન્ટમાં રમવાનું ચૂકી ગયા છે. તિલક વર્મા જેવા ઘણા ખેલાડીઓ રણજી ટ્રોફીના બદલે ઈમ‹જગ એશિયા કપમાં ઈન્ડયા-છ તરફથી રમી રહ્યા છે. ગાવસ્કરે કહ્યું કે, હાલમાં ભારત-ન્યૂઝીલેન્ડ ટેસ્ટ શ્રેણી ચાલી રહી છે. કેટલાક ખેલાડીઓ ઇમ‹જગ પ્લેયર્સ એશિયા કપમાં ભાગ લઈ રહ્યા છે. રણજી ટ્રોફીની સિઝન શરૂ થઈ ગઈ છે અને જા ખેલાડીઓને આવી ઈવેન્ટ્‌સમાં રમવા લઈ જવામાં આવે તો રાષ્ટય ટૂર્નામેન્ટનું મહત્વ ઘટી રહ્યું છે.
ગાવસ્કરે સ્પોર્ટસ્ટાર માટે પોતાની કોલમમાં લખ્યું છે કે આવતા મહિને ઓસ્ટ્રેલિયા પ્રવાસ પહેલા સાઉથ આફ્રિકામાં ચાર મેચની ટી-૨૦ સિરીઝ થવાની છે. આવતા મહિને જ ઓસ્ટ્રેલિયાના પ્રવાસે ‘છ’ ટીમ પણ હશે. આવી સ્થતિમાં, રણજી ટ્રોફીમાં લગભગ ૫૦ થી ૬૦ ખેલાડીઓ તેમના રાજ્યની ટીમો માટે ઉપલબ્ધ રહેશે નહીં.
તેમણે એમ પણ કહ્યું કે જ્યારથી ઈÂન્ડયન પ્રીમિયર લીગ (આઈપીએલ) શરૂ થઈ છે ત્યારથી રણજી ટ્રોફીને મહત્વ આપવામાં આવી રહ્યું નથી. તેણે કહ્યું કે અન્ય કોઈ દેશ તેની રાષ્ટય ટૂર્નામેન્ટને ભારત જેટલી આકસ્મક રીતે વર્તતો નથી. શું તમે ક્યારેય ઈંગ્લેન્ડ કે આૅસ્ટ્રેલિયાને તેમની સ્થાનિક સિઝન દરમિયાન ‘છ’ પ્રવાસનું આયોજન કરતા અથવા અર્થહીન ટુર્નામેન્ટમાં ભાગ લેતા જાયા છે? પરંતુ જ્યારથી આઈપીએલ શરૂ થઈ છે, ત્યારથી રણજી ટ્રોફીએ પાછું સ્થાન લીધું છે.