કોડનાર તાલુકાના ડોળાસા ગામના લોહાણા વેપારી નંદલાલભાઈનુ અવસાન થતા તેમની દીકરીઓએ તમામ વિધિ કરી નવો ચીલો ચાતર્યો છે. ડોળાસાના વેપારી નંદલાલભાઈ રણછોડભાઈ છગ ઉ.વ.૬૮નું ટૂંકી બીમારી બાદ અવસાન થતા તેમની અંતિમ યાત્રા યોજાઈ હતી જેમાં તેમની દીકરીઓએ જૂની પરંપરાઓ તોડી અને તેમની પુત્રી આરતીબેન, ડો. કોમલબેન અને વીરલબેને તેમના પિતાની અર્થીને કાંધ આપી હતી અને સ્મશાન
ગૃહે પહોંચી અને તેમને અÂગ્નદાહ પણ આપ્યો હતો. દીકરીઓએ દીકરાને કરવાની તમામ વિધિ કરી સામાજિક ફરજ અદા કરી સમાજને નવી રાહ ચીંધી હતી.