એક સાથે ત્રણ સિસ્ટમ સક્રિય, ૬૫ કિ.મી.એ ફૂંકાશે પવન, વૈજ્ઞાનિકની આખા ગુજરાતને હચમચાવી દે તેવી આગાહી
(એ.આર.એલ),અમદાવાદ,તા.૨૪
હવામાન વિભાગ દ્વારા આગામી ૪ દિવસ માટે કરવામાં આવી હતી ત્યારે આજે ૨૪ જુલાઇએ મધ્ય ગુજરાત અને દક્ષિણ ગુજરાતમાં મેઘરાજાએ માજા મૂકી હતી. મધ્ય ગુજરાતના બોરસદમાં ૪ કલાકમાં ૧૩ ઇંચ વરસાદ ખાબક્યો છે. આ ઉપરાંત મધ્ય ગુજરાતના આણંદ, વડોદરા, ભરૂચ, છોટા ઉદેપુર, પંચમહાલ સહિતના વિસ્તારોમાં સરેરાશ એકથી પાંચ ઇંચ વરસાદ નોંધાયો છે. બીજી તરફ રાજ્યમાં છેલ્લા ૨૪ કલાક દરમિયાન સુરત જિલ્લાના ઉમરપાડા તાલુકામાં સૌથી વધુ ૧૧ ઇંચ પલસાણા તાલુકામાં ૧૦ ઇંચ વરસાદ તેમજ નવસારી ખેરગામ તાલુકામાં ૯ ઇંચ વરસાદ નોંધાયો છે. જ્યારે જૂનાગઢના વિસાવદર તાલુકામાં ૮ ઇંચ અને સુરત જિલ્લાના કામરેજ અને બારડોલી તાલુકામાં ૮-૮ ઇંચ વરસાદ અને દેવભૂમિ દ્વારકાના દ્વારકા તાલુકામાં ૮ ઇંચ વરસાદ નોંધાયાના અહેવાલો છે. આ ઉપરાંત ડાંગ જિલ્લાના વઘઈ તાલુકામાં ૭ ઇંચ અને તાપી જિલ્લાના વ્યારા તાલુકામાં ૭ ઇંચ વરસાદ નોંધાયો છે.સુરત શહેરમાં વરસાદના લીધે સુરતીઓનું જનજીવન અસ્તવ્યસ્ત થઇ ગયું છે. શહેરના ખાડી કિનારાના રહેણાક વિસ્તારોમાં વરસાદી પાણી ઘૂસી ગયા છે. વરસાદી પાણીના કારણે વેલંજા વિસ્તારના રાજીવનગરમાંથી લગભગ ૬૦ જેટલા લોકોને સલામત સ્થળે ખસેડવામાં આવ્યા હતા. સીમાડા તથા ભેદવાડ ખાડી ઓવરફ્લો થઈ ગઈ છે અને અન્ય ખાડીઓ પણ બન્ને કાંઠે વહેતી થઈ છે. જેના કારણે ખાડી કિનારાનાં અનેક વિસ્તારમાં પાણીનો ભરાવો થયો છે. આ ઉપરાંત બે ખાડી ઓવરફ્લો થતા અનેક રોડ પર પાણી ફરી વળ્યા છે. જેના કારણે વાહન વ્યવહારમાં ભારે મુશ્કેલી પડી રહી છે.વડોદરા શહેર ઉપરાંત જિલ્લામાં પણ ભારે વરસાદના કારણે અનેક સ્થળોએ પાણી ભરાઈ ગયા હતા ં વડોદરા શહેરમાં પાંચ ઇંચ જેટલો ધોધમાર વરસાદ વરસ્યો હતો. આ ઉપરાંત જિલ્લાની વાત કરીએ તો સિનોર તાલુકામાં પણ પાંચ ઈંચ વરસાદ ખાબક્યો છે જ્યારે જિલ્લાના સાવલી તાલુકામાં ૧૧, વાઘોડિયામાં ૮, ડભોઇ ૧૬, પાદરા ૫૭, કરજણમાં ૩૦ મિ.મી. વરસાદ પડ્યો હતો. વડોદરા શહેર અને જિલ્લામાં આજે સવારથી સતત વરસાદ ચાલુ રહેતા નીચાણવાળા અનેક વિસ્તારોમાં પાણી ભરાઈ ગયા છે. સવારથી પડેલા વરસાદના કારણે જનજીવન પણ અસ્તવ્યસ્ત થઈ ગયું છે. હવામાન વિભાગના આંકડા પ્રમાણે, વડોદરા શહેરમાં ચાર કલાકમાં પાંચ ઇંચ જેટલો વરસાદ ખાબક્યો છે. વરસાદના કારણે વાતાવરણમાં પણ ઠંડક પ્રસરી ગઈ છે.
ભરૂચ શહેર અને જિલ્લામાં મંગળવાર રાતથી વરસી રહેલા ધોધમાર વરસાદના લીધે શહેરના વિવિધ વિસ્તારો વરસાદી પાણીમાં જળમગ્ન બન્યા છે. ભરૂચના ગાયત્રી મંદિર, એશિયાડ નગર, નિરાંત નગર સહિત દીવા રોડ પર આવેલી સોસાયટીમાં વરસાદી પાણી ઘૂસી ગયા છે. શહેરના મુખ્ય માર્ગો પર બેટ જેવી સ્થતિ સર્જાઇ છે. ભરૂચ જિલ્લાના ઝઘડિયામાં ૫ ઇંચ, અંકલેશ્વરમાં ૫ ઇંચ, હાંસોટમાં ૫ ઇંચ, વાલિયા અને વાગરામાં ૪ ઇંચ, જંબુસરમાં ૨.૫ ઇંચ વરસાદ ખાબક્યો છે.
નવસારી જિલ્લામાં હવામાન વિભાગ દ્વારા આગામી ૪૮ કલાક રેડ એલર્ટ જાહેર કરવામાં આવ્યો છે. આજે અહીં ભારે વરસાદ થતાં અનેક સ્થળો પાણીથી ભરાઈ ગયા છે. શહેર અને નીચાણવાળા વિસ્તારોમાં લોકોના ઘરમાં ઘુંટણસમા પાણી ભરાઈ ગયા છે. હાલ લોકો પાણીમાં રહેવા મજબૂર બન્યા છે.નવસારી જિલ્લામાં આવેલા ઉપરવાસમાં ભારે વરસાદ પડતા જિલ્લામાં આવેલી ત્રણેય નદીઓ બે કાંઠે વહી રહી છે. નદી-નાળામાં પાણીની આવક વધતાં જિલ્લા પંચાયત હસ્તકના ૭૮ માર્ગો બંધ કરવાનો આદેશ પણ તંત્ર દ્વારા આપવામાં આવ્યો છે.નવસારીના વેડછા ડામર, અડડા રોડ, જલાલપુર તાલુકામાં તવડીનો એપ્રોચ રોડ, ચીખલી તાલુકામાં બામણવેલ દોણજા, હરણ ગામ રોડ, ચીખલીના પીપળ, આમ ધરા મોગર વાળી રૂમાલ રોડ બંધ કરવામાં આવ્યો છે.ભારે વરસાદ પડતા નવસારી શહેરમાં આવેલા વોર્ડ નંબર ૧૩ ના દશેરા ટેકરી વિસ્તારમાં રહેતા ૫૦થી વધુ પરીવારોના ઘરોમાં પાણી ઘૂસી ગયા છે. ઘરોમાં ઘુંટણસમા પાણી ભરાઈ જતા લોકો હાલાકીનો સામનો કરી રહ્યા છે.ઉપરવાસમાં ભારે વરસાદના કારણે જૂનાગઢ જિલ્લાના ૧૯ ડેમમાંથી ૧૬ ડેમ ઓવરફ્લો થયા છે. પાણીના પ્રકોપથી ૯૬ ગામ પ્રભાવિત થયા છે. ભારે વરસાદને પગલે જિલ્લાના કુલ ૬૫ રસ્તા બંધ કરવામાં આવ્યા છે.વરસાદમાં અત્યાર સુધી કુલ ૨૭ લોકોનું રેસ્ક્યુ કરાયું છે. ૧૨૩૮ લોકોનું સ્થળાંતર કરવાની ફરજ પડી છે. વરસાદના કારણે જૂનાગઢમાં ૩ લોકોના મૃત્યુ છે. ભારે વરસાદના પગલે તંત્ર પણ એલર્ટ મોડમાં જાવા મળ્યુ છે. એનડીઆરએફની એક ટીમ કેશોદ ખાતે તૈનાત કરવામાં આવી છે. તેમજ એનડીઆરએફ ની એક ટીમ જૂનાગઢ ખાતે તૈનાત કરવામાં આવી છે.બીજી તરફ ઓઝત ૨ ડેમના ૮ દરવાજા ૩ ફૂટ ખોલવામાં આવ્યા છે. ૨૦ હજાર ક્યુસેક પાણીની આવકની સામે એટલી જ જાવક છે. ઓઝત નદી ઉપરનો બાદલપરા ડેમ સૌથી મોટો ડેમ છે. વંથલી, કેશોદ, માણાવદર તાલુકાના ગામોને એલર્ટ કરાયા છે. ઓઝત નદીનાં સમગ્ર ઘેડ પંથકના ગામોને પ્રભાવિત કરે છે.ઉત્તર ગુજરાત પર સાયક્લોનિક સર્ક્‌યુલેશન સર્જાતા ભારે વરસાદ આવશે તેવી આગાહી હવામાન વિભાગ દ્વારા કરવામાં આવી છે. હવામાન વૈજ્ઞાનિક રામાશ્રય યાદવે જણાવ્યુંકે, આગામી દિવસોમાં ગુજરાતમાં વરસાદી સિસ્ટમ હજુ પણ વધારે સ્ટ્રોંગ બનશે. ખાસ કરીને આગામી ૫ દિવસ દરમ્યાન રાજ્યભરમાં ઠંડરસ્ટોર્મની આગાહી પણ હવામાન વિભાગ દ્વારા કરવામાં આવી છે. દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટમાં વરસાદનું જાર વધારે રહેશે.હવામાન વિભાગ દ્વારા વરસાદી સિસ્ટમોને ધ્યાને લઈને અલર્ટ આપવામાં આવ્યું છે. ખાસ કરીને દરિયાઈ વિસ્તારોમાં વિશેષ સુચના આપી દેવામાં આવી છે. હાલ માછીમારીઓએ પણ દરિયો ન ખેડવા ચેતવણી અપાઈ છે.હવામાન વૈજ્ઞાનિકે વધુમાં જણાવ્યુંકે, હાલ જે પ્રકારે ગુજરાત પર અલગ અલગ સિસ્ટમો સક્રિય થઈ છે એમાં પવનની ગતિ વધશે. ૪૫ કિ.મી.થી લઈને ૬૫ કિ.મી. સુધી રહેશે પવનની ઝડપ. તેજ રફતારથી ફૂંકાશે પવન.