દિવાળી પર્વ નજીક આવતાં જ દેવી-દેવતાઓના ફોટાવાળા ફટાકડા પર પ્રતિબંધ લગાવવાની માંગ ઉઠી છે. રાજુલાના પૂર્વ પ્રમુખ બજરંગદળના ચિરાગ બી. જોષી અને સનાતની ભક્તોએ આ માટે રજૂઆત કરી છે. આવા ફટાકડા પર પ્રતિબંધ લગાવવાની માંગણી પાછળનું કારણ છે કે આવા ફટાકડા પર્યાવરણને નુકસાન પહોંચાડે છે અને હિંદુ ધર્મની ભાવનાઓને દુભાવે છે. લક્ષ્મી બોમ્બ, કૃષ્ણ બોમ્બ જેવા ફટાકડા પર દેવી-દેવતાઓના ફોટા છાપવાથી ધાર્મિક માન્યતાઓનું
અપમાન થાય છે. દર વર્ષે આવી જ માંગણી ઉઠે છે પરંતુ કોઈ નિર્ણય લેવામાં આવતો નથી. આ વર્ષે આ બાબતે ગંભીરતાથી વિચાર કરીને પ્રતિબંધ લગાવવાની માંગણી કરી છે.