ધારીમાં એક દંપતીને ગાળો બોલીને જાનથી મારવાની ધમકી આપતાં ફફડી ઉઠ્‌યું હતું. બનાવ અંગે વૃંદાવન સોસાયટીમાં રહેતા મનિષાબેન સંજયભાઈ જોષી (ઉ.વ.૪૫)એ જયદીપભાઈ વસીયા તથા ચાર અજાણ્યા શખ્સો સામે નોંધાવેલી ફરિયાદ પ્રમાણે, તેઓ તેમના ઘરે હતા તે દરમિયાન આરોપીએ ગેરકાયદે મંડળી રચી તેમના ઘર પાસે આવી તેમને તથા તેના પતિને ગાળો આપી, જાનથી મારી નાખવાની ધમકી આપી હતી. ધારી પોલીસ સ્ટેશનના એએસઆઈ એ.વી. જુણેજા વધુ તપાસ કરી રહ્યા છે.