ગીરગઢડા તાલુકાના ધોકડવા ગામે જિલ્લા કલેકટર દિગ્વિજયસિંહ જાડેજાના અધ્યક્ષ સ્થાને ગ્રામસભા યોજાઈ હતી. આ અવસરે ધોકડવામાં બનાવેલ નવી બે આંગણવાડી કેન્દ્ર નંબર ૧ અને ૨નું લોકાર્પણ ઉનાના ધારાસભ્ય કાળુભાઇ રાઠોડના હસ્તે કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમમાં જિલ્લા વિકાસ અધિકારી સ્નેહલબેન ભાપકર, પ્રાંત અધિકારી સી.પી. હિરવાણીયા, જિલ્લા પંચાયતનાં પ્રમુખ મંજુલાબેન મુછાળ, જિલ્લા પંચાયત કારોબારી સમિતિના ચેરમેન ડાહ્યાભાઈ જાલોંધરા, ગીર ગઢડાના મામલતદાર જી.કે. વાળા, તાલુકા વિકાસ અધિકારી આર.એમ.ત્રિવેદી, તાલુકા પંચાયતના
આભાર – નિહારીકા રવિયા પ્રમુખ ભગવતીબેન સાંખટ, ઉપપ્રમુખ દિવાળીબેન કિડેચા, ધોકડવા ગ્રામ પંચાયતના ઉપ સરપંચ કાંતિભાઈ માળવી સહિત અલગ અલગ વિભાગના અધિકારીઓ, પદાધિકારીઓ અને ગ્રામજનો ઉપસ્થિત રહ્યા હતા.