(એ.આર.એલ),અમદાવાદ,તા.૩
હવામાન વિભાગની આગાહી વચ્ચે ગુજરાતના અનેક જિલ્લાઓમાં ધોધમાર વરસાદ વરસ્યો છે. નર્મદા ડેમની જળ સપાટીમાં સતત વધારો થયો છે. નર્મદા ડેમની જળ સપાટી ૧૩૪.૭૩ મીટર પર પહોંચી છે. નર્મદા ડેમમાંથી પાણીની આવક વધતા ડેમના ૧૫ દરવાજા ૨ મીટર ખોલવામાં આવ્યા છે.દરવાજા ખોલી ૨ લાખ ક્યુસેક પાણી છોડવામાં આવ્યુ છે. પાવર હાઉસ મારફતે ૪૫ હજાર ક્યુસેક પાણી નદીમાં છોડયુ છે. નદીમાં કુલ ૨ લાખ ૪૫ હજાર ક્યુસેક પાણી છોડવામાં આવ્યુ છે. નર્મદા જિલ્લામાં છેલ્લા ૨૪ કલાકમાં ૧૭ ઈંચ વરસાદ વરસ્યો છે.બીજી તરફ સાબરકાંઠામાં સાર્વÂત્રક વરસાદી માહોલથી ડેમમાં નવા નીરની આવક થઈ છે. જિલ્લાના મુખ્ય જળાશયોમાં પાણીની આવક નોંધાઈ છે. ધરોઈ, ગુહાઈ, હાથમતી અને હરણાવ ડેમમાં નવા નીરની આવક જાવા મળી છે. ધરોઈ ડેમમાં ૧૧,૧૧૧ ક્યુસેક પાણીની આવક નોંધાઈ છે. ધરોઈ ડેમની સપાટી ૧૮૫.૮૨ મીટર, પાણીનો જથ્થો ૫૭.૬૮ ટકા છે. હાથમતી જળાશયમાં ૩૫૦ ક્યુસેક આવક, પાણીનો જથ્થો ૩૮.૨૩ ટકા જાવા મળ્યો છે. ગુહાઈ ડેમમાં ૧૫૩૫ ક્યુસેક પાણીની આવક, ૩૫.૨૩ ટકા જથ્થો છે. આ તરફ હરણાવ ડેમમાં ૧૧૦ ક્યુસેક આવક સામે ૧૧૦ ક્યુસેક જાવક કરવામાં આવી છે.