જન સૂરજ પાર્ટીના વડા અને ચૂંટણી રણનીતિકાર પ્રશાંત કિશોરે બિહાર વિધાનસભા ચૂંટણીને લઈને મોટું નિવેદન આપ્યું છે. તેમણે આગાહી કરી છે કે ઓક્ટોબર અથવા નવેમ્બરમાં યોજાનારી બિહારની આગામી ચૂંટણીઓ આશ્ચર્યજનક રહેશે. આ સાથે તેમણે મુખ્યમંત્રી નીતિશ કુમાર વિશે કહ્યું કે તેઓ માનસિક અને શારીરિક રીતે થાકી ગયા છે. નવેમ્બર ૨૦૨૫ પછી તેઓ મુખ્યમંત્રી રહેશે નહીં. પ્રશાંત કિશોરે ઈન્ડીયા વાતચીતમાં આ વાતો કહી.
પ્રશાંત કિશોરે કહ્યું કે ભાજપની આગેવાની હેઠળનું એનડીએ ગઠબંધન ચૂંટણી જીતે કે ન જીતે, નવેમ્બર ૨૦૨૫ પછી નીતિશ કુમાર બિહારના મુખ્યમંત્રી નહીં રહે. પ્રશાંત કિશોરે કહ્યું, “નીતીશ કુમાર શારીરિક રીતે થાકી ગયા છે અને માનસિક રીતે નિવૃત્ત થઈ ગયા છે. નીતીશ કુમાર કેમેરા સામે તેમના મંત્રીમંડળના સભ્યો અને તેમના વિભાગોના નામ આપવાની સ્થિતિમાં નથી. તેથી કામ કરવું, મતદાન કરવું અને ચૂંટણી જીતવી એ મોટી વાત છે.” “તેમની સ્થિતિ એવી નથી કે તેઓ કોઈ મોટો રાજકીય પ્રયાસ કરી શકે,
પ્રશાંત કિશોરે કહ્યું કે બિહારમાં દ્ગડ્ઢછ ગઠબંધન હાલમાં ભાજપની દયા પર છે અને નીતિશ કુમાર ફક્ત એક “માસ્ક” બની ગયા છે. પ્રશાંત કિશોરે કહ્યું, “જ્યારે બેઠકો વહેંચાઈ જાય છે, ત્યારે જદયુ ૧૦૦ બેઠકો પર ચૂંટણી લડી શકે છે, પરંતુ જા એનડીએ ૨૦૨૫ માં બિહારમાં જીતે તો પણ આગામી મુખ્યમંત્રી નીતિશ કુમાર નહીં હોય.” તેમણે કહ્યું કે ભાજપ પોતાનો મુખ્યમંત્રી બનાવશે.
પ્રશાંત કિશોરે કહ્યું કે બિહારમાં ભાજપ એટલી મજબૂત નથી કે તે રાજ્યની રાજનીતિ પોતાના દમ પર નક્કી કરી શકે. તેમણે કહ્યું, “લોકસભા પછી, ૪ વિધાનસભા બેઠકો અને ૧ વિધાનસભા પરિષદ બેઠક પર પેટાચૂંટણીઓ યોજાઈ હતી. ૫ પેટાચૂંટણીઓમાંથી,એનડીએએ ૪ બેઠકો ગુમાવી. વર્તમાન ધારાસભ્ય હારી ગયા. બિહારમાં, બે તૃતીયાંશ લોકો પરિવર્તન ઇચ્છે છે, પછી ભલે તે આરજેડીના મતદારો હોય કે એનડીએના મતદારો.
તેમણે કહ્યું કે ભાજપે હરિયાણા અને મહારાષ્ટ્રમાં ચૂંટણી જીતી હોવા છતાં, તે બિહારમાં આટલી મોટી ભૂમિકા ભજવી શકે નહીં. તેમણે કહ્યું, “મહારાષ્ટ્ર અને હરિયાણામાં મળેલી જીતથી ભાજપના કાર્યકરોનું મનોબળ વધ્યું હશે, પરંતુ બિહારનું રાજકારણ અલગ છે, અને તેના મુદ્દાઓ અલગ છે. અહીં ભાજપની તાકાત અલગ છે. ભાજપે ફક્ત એક જ વાર ૨૪૩ માંથી ૧૫૦ બેઠકો પર ચૂંટણી લડી છે. સામાન્ય રીતે, ભાજપ ૧૦૦ થી ઓછી બેઠકો પર ચૂંટણી લડે છે. પ્રશાંત કિશોરે કહ્યું, “ભાજપ એટલી મજબૂત નથી કે તે ફક્ત બિહારની રાજકીય દિશા નક્કી કરી શકે.”