નાગપુર હિંસાના મુખ્ય આરોપી ફહીમ ખાનના ઘરનો ગેરકાયદેસર ભાગ તોડી પાડવામાં આવ્યો છે. સોમવારે મ્યુનિસિપલ કોર્પોરેશનના અધિકારીઓએ તેને તોડી પાડ્યું. ફહીમ ખાન વિરુદ્ધ રાજદ્રોહનો કેસ નોંધવામાં આવ્યો છે. નોટિસ પછી પણ, તેમણે ગેરકાયદેસર બાંધકામ દૂર કર્યું નહીં. તેઓ લઘુમતી ડેમોક્રેટિક પાર્ટીના નેતા પણ છે. આ કેસમાં આરોપી યુસુફ શેખના ઘરનું ગેરકાયદેસર બાંધકામ પણ તોડી પાડવામાં આવ્યું હતું.
મહારાષ્ટÙના નાગપુર શહેરમાં ૧૭ માર્ચે થયેલી હિંસા બદલ ધરપકડ કરાયેલા ૧૦૦ થી વધુ લોકોમાં ફહીમ ખાનનો પણ સમાવેશ થાય છે. સૂત્રોના જણાવ્યા અનુસાર, નાગપુર મ્યુનિસિપલ કોર્પોરેશને થોડા દિવસ પહેલા તેમને નોટિસ ફટકારી હતી. તેમાં ઘરના બાંધકામ યોજનામાં અનેક ખામીઓ અને મંજૂરી ન મળવાનો ઉલ્લેખ કરવામાં આવ્યો હતો. મળતી માહિતી મુજબ, આ ઘર યશોધરા નગર વિસ્તારમાં સંજય બાગ કોલોનીમાં આવેલું છે. આ ઘર ફહીમ ખાનની પત્નીના નામે નોંધાયેલું છે. એમડીપી શહેર પ્રમુખ હાલમાં જેલમાં છે.
છત્રપતિ સંભાજીનગરમાં ઔરંગઝેબની કબર દૂર કરવાની માંગણી સાથે વિશ્વ હિન્દુ પરિષદના નેતૃત્વમાં થયેલા વિરોધ પ્રદર્શન દરમિયાન ધાર્મિક ચાદર સળગાવવામાં આવી હોવાની અફવા ફેલાતા ૧૭ માર્ચે હિંસા ફાટી નીકળી હતી. આ અથડામણોને કારણે શહેરના અનેક ભાગોમાં પથ્થરમારો અને આગચંપી થઈ હતી જેમાં ત્રણ ડેપ્યુટી કમિશનર ઓફ પોલીસ-કક્ષાના અધિકારીઓ સહિત ૩૩ પોલીસકર્મીઓ ઘાયલ થયા હતા.
દરમિયાન, મુખ્યમંત્રી દેવેન્દ્ર ફડણવીસે શનિવારે કહ્યું હતું કે હિંસા દરમિયાન નુકસાન પામેલી સંપત્તિની કિંમત તોફાનીઓ પાસેથી વસૂલ કરવામાં આવશે. આ ઉપરાંત, જા ચુકવણી ન કરવામાં આવે તો, તેમની મિલકતો જપ્ત કરવામાં આવશે અને નુકસાનની ભરપાઈ કરવા માટે વેચવામાં આવશે. ગૃહ મંત્રાલયનો કાર્યભાર સંભાળતા ફડણવીસે કહ્યું, “મારી સરકાર ત્યાં સુધી શાંત નહીં રહે જ્યાં સુધી પોલીસ પર હુમલો કરનારાઓને પકડીને કડક કાર્યવાહી કરવામાં નહીં આવે.”
મુખ્યમંત્રીએ કહ્યું કે ભડકાઉ સામગ્રી ફેલાવનારાઓને હિંસા ભડકાવવામાં તેમની ભૂમિકા બદલ સહ-આરોપી બનાવવામાં આવશે. ફડણવીસે એમ પણ કહ્યું કે તપાસ ચાલી રહી હોવાથી રમખાણોમાં વિદેશી કે બાંગ્લાદેશી સંબંધો અંગે ટિપ્પણી કરવી અકાળ ગણાશે. રાજદ્રોહના આરોપસર ધરપકડ કરાયેલા ફહીમ ખાનનું નામ લીધા વિના તેમણે કહ્યું, “જાકે, માલેગાંવ હિંસા સાથેના જાડાણની તપાસ કરી શકાય છે કારણ કે એક આરોપી માલેગાંવના એક રાજકીય પક્ષનો છે, જે તોફાનીઓને મદદ કરતો જાઈ શકાય છે.”