ઈડીએ પંજાબ નેશનલ બેંકમાં કરોડો રૂપિયાના કૌભાંડના સંદર્ભમાં રાજસ્થાનમાં ૧૦ થી વધુ સ્થળોએ દરોડા પાડ્યા. આ કેસમાં એફઆઇઆર પહેલાથી જ નોંધાયેલ છે. શ્રીગંગાનગરનો અમનદીપ ચૌધરી આ કૌભાંડનો મુખ્ય આરોપી છે.
આ કેસમાં ભ્રષ્ટાચાર વિરોધી બ્યુરોએ એફઆઇઆર નોંધી હતી. હવે આ કેસમાં, ઈડ્ઢ એ બિકાનેર, હનુમાનગઢ અને જયપુરમાં દરોડા પાડવાની કાર્યવાહી શરૂ કરી છે.
ઉલ્લેખનીય છે કે, રાજ્યમાં સતત બીજા દિવસે પણ ઈડી સક્રિય રહ્યું. ગુરુવારે, ઈડીએ જલ જીવન મિશન કૌભાંડમાં રાજસ્થાનના ભૂતપૂર્વ કેબિનેટ મંત્રી મહેશ જાશીની પણ ધરપકડ કરી હતી. અગાઉ, ઈડીએ અહીં સહારા પ્રાઇમ લિમિટેડની ૧,૦૨૩ એકર જમીન પણ અસ્થાયી રૂપે જપ્ત કરી હતી. તે જ મહિનામાં, ઈડીએ ચિટ ફંડ કૌભાંડના સંદર્ભમાં ભૂતપૂર્વ કેબિનેટ મંત્રી પ્રતાપ સિંહ ખાચરિયાવાસના ઘરે પણ દરોડા પાડ્યા હતા. આ કૌભાંડમાં રાજ્યભરના ૨૮ લાખ રોકાણકારોના લગભગ ૨૮૫૦ કરોડ રૂપિયા ફસાયેલા હોવાનું જણાવવામાં આવી રહ્યું છે.
પીએનબી કેસ અંગે જણાવવામાં આવી રહ્યું છે કે શ્રી ગંગાનગરના રહેવાસી અમનદીપ ચૌધરીએ તેના સહયોગીઓ સાથે મળીને પંજાબ નેશનલ બેંક પાસેથી ૨૫ કરોડ રૂપિયાની લોન લીધી હતી અને ત્યારબાદ બેંક સાથે છેતરપિંડી કરીને પૈસા પડાવી લીધા હતા. એવો આરોપ છે કે તેણે વેરહાઉસમાં રાખેલા માલને ગીરવે મૂકીને લોન મેળવી હતી પરંતુ બાદમાં બેંકને જાણ કર્યા વિના માલ બજારમાં વેચી દેવામાં આવ્યો હતો.
આ સમગ્ર કેસમાં અમનદીપ ચૌધરી સાથે, તેમની પત્ની સુનિતા ચૌધરી, ઓમપ્રકાશ અને અન્ય આરોપીઓ પણ સામેલ છે. ઈડી ટીમોએ જયપુરમાં આરોપીઓના ત્રણ, બિકાનેરમાં બે અને હનુમાનગઢ અને શ્રીગંગાનગરમાં પાંચ સ્થળોએ દરોડા પાડ્યા હતા.
ઉલ્લેખનીય છે કે આ છેતરપિંડી અંગે ઓક્ટોબર ૨૦૨૦ માં જાધપુરના ભ્રષ્ટાચાર વિરોધી બ્યુરોમાં કેસ નોંધવામાં આવ્યો હતો. હવે આ મામલે મની લોન્ડરિંગની શક્યતાને કારણે ઈડીએ પણ તપાસ શરૂ કરી છે. આ ઈડી દરોડાને બેંકિંગ સિસ્ટમમાં એક મોટા છેતરપિંડીના ખુલાસા તરીકે ગણવામાં આવી રહી છે. તપાસ એજન્સી હવે આરોપીઓની મિલકતો અને પૈસાના વ્યવહારોની પણ તપાસ કરી રહી છે. આગામી દિવસોમાં આ મામલે વધુ ખુલાસા થવાની શક્યતા છે.