લીલીયા, તા.ર૬
લીલીયાના પૂંજાપાદર ખાતે ગુરુપૂર્ણિમા મહોત્સવની ઉજવણી કરવામાં આવી હતી. જેમાં વાઘણીયાવાળા બાલગીરીબાપુ દ્વારા પૂજન, આરતી અને ધૂન વગેરે કરવામાં આવ્યા હતા. તેમજ લોકીવાળા શાસ્ત્રી હિંમતદાદાએ સત્સંગ કર્યો હતો. આ પ્રસંગે મહાપ્રસાદનું પણ આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં ગામના ભાઈઓ બહેનોએ મોટી સંખ્યામાં હાજર રહી ગુરૂના આશીર્વાદ અને ભજન સત્સંગનો લ્હાવો લીધો હતો.