પેરિસ આૅલિમ્પિક પહેલાં આૅસ્ટ્રેલિયાની પર્યટક મહિલા પર આફ્રિકાથી આવેલા પાંચ સ્થળાંતરિતોએ ક્રૂર રીતે સામૂહિક બળાત્કાર કર્યો. યુકેના લીડ્‌સમાં બાળકનું આધિપત્ય માબાપને ન આપતાં ચાઇલ્ડ કૅર હામને આપવામાં આવ્યું. વિદેશોમાં બાળકનો ઉછેર બરાબર ન કરી શકો કે બાળકને મારો, ઊંચા અવાજે ખિજાવ તો પણ ત્યાંની સરકાર તેનું આધિપત્ય માબાપ પાસેથી લઈને ચાઇલ્ડ કૅર હામને આપી દે છે. ભારતીયોએ- હિન્દુઓએ તો આવા કેસો બહુ સહન કર્યા છે. નાર્વેનો સાગરિકા-અનુરૂપ ભટ્ટાચાર્ય દંપતીનો કિસ્સો જાણીતો છે જેના પરથી મિસીસ ચેટર્જીર્ વર્સિસ નાર્વે નામની રાની મુખર્જી અભિનિત ફિલ્મ પણ બની હતી. એટલે હિન્દુઓ આવા કિસ્સામાં રમખાણો પર ઉતરી આવતા નથી. લીડ્‌સમાં કયા સમુદાયે રમખાણો કર્યાં તે સમજવું અઘરું નથી.
ગત ફેબ્રુઆરીમાં ફ્રાન્સે ટ્યુનિશિયાના વતની ઇમામ મહજૌબ મહજૌબીને દેશમાંથી કાઢી મૂક્યો હતો કારણકે તેણે ફ્રાન્સના રાષ્ટ્રધ્વજને ‘શૈતાનિક’ કહ્યો હતો.
જર્મનીએ ૨૪ જુલાઈએ ઇસ્લામિક જિહાદી વિચારધારાને ઉત્તેજન આપતા સંગઠન ઇસ્લામિક સેન્ટર હેમ્બર્ગ અને તેની સાથે સંકળાયેલાં ચાર બીજાં સંગઠનો પર પ્રતિબંધ મૂકી દીધો અને ચાર મસ્જિદોને પણ બંધ કરી દીધી. ભારતમાં મસ્જિદો બંધ કરવાનું સપનામાં પણ વિચારી શકાતું નથી. મોદી શાસનમાં પણ નહીં.
યુકેમાં જ્યાં વડાપ્રધાનનું નિવાસસ્થાન છે તેને વિસ્તારના નામ પરથી ડાઉનિંગ સ્ટ્રીટ તરીકે ઓળખવામાં આવે છે. તેમાં ગત વર્ષે પહેલી વાર ઇફ્‌તાર પાર્ટીનું આયોજન કરવામાં આવ્યું હતું. અઝાન પણ પોકારવામાં આવી હતી.
યુકેની જ વાત કરીએ તો ૨૦૨૨માં લેસેસ્ટરમાં હિન્દુઓ સામે હિંસા ભડકી હતી. તેના માટે ત્યાંની સુરક્ષા સંસ્થાઓએ કટ્ટરવાદી મુસ્લિમ માજિદ ફ્રીમેનને આરોપી ગણ્યો છે અને તેના પર ત્રાસવાદી સંગઠન હમાસને સમર્થન આપી ત્રાસવાદ ભડકાવવાનો પણ આરોપ છે. તેણે મુસ્લિમ છોકરીના અપહરણ અને તેમાં આરએસએસનું નામ પણ ઢસડ્‌યું. પરંતુ લેસેસ્ટર પોલીસે કહ્યું કે આવી કોઈ ઘટના થઈ નથી. આમ, માજિદ ફ્રીમેન જૂઠાણાં ફેલાવવાનો પણ આરોપી છે.
ગુજરાતના જામનગરની સોનલનગર વિસ્તારની આંગણવાડીમાં બાળકોને ઇસ્લામના પાઠ ભણાવવામાં આવતા હોવાનો વીડિયો વાઇરલ થયો હતો તો વડોદરાના ડભોઈના કરનાળીની આંગણવાડીમાં હિન્દુ વિદ્યાર્થીઓ પાસે નમાજ કરાવવામાં આવી હતી.
ઉત્તર પ્રદેશ અને ઉત્તરાખંડમાં કાવડ યાત્રાના માર્ગ પર દુકાનદારો કે ફેરિયાઓએ પોતાની દુકાન કે લારી પર પોતાનું સાચું નામ લખવું આવશ્યક છે તેવો આદેશ યોગી સરકારે અને પુષ્કરસિંહ ધામીએ બહાર પાડતાં વિપક્ષોએ હોબાળો મચાવી દીધો. તૃણમૂલ કાંગ્રેસનાં, પ્રશ્નો પૂછવા માટે પૈસા લેવાના દોષિત સાંસદ મહુઆ મોઇત્રાએ યાચિકા કરી દીધી અને સર્વોચ્ચ ન્યાયાલયે તેના પર રોક લગાવી દીધી! રોક લગાવતી વખતે ન્યાયમૂર્તિ એસ. વી. એન. ભટ્ટીએ કહ્યું કે તેઓ પોતે કેરળમાં મુસ્લિમના શાકાહારી ભોજનાલયમાં જતા હતા. ન્યાયમૂર્તિને કોણ સમજાવે કે વિરોધ હિન્દુ-મુસ્લિમનો નથી, વિરોધ ખાદ્યસામગ્રીમાં થૂંક ભેળવે છે તેનો છે, ખાદ્ય ચીજો થોડી ખાઈને પછી તેને વેચવામાં આવે છે તેનો છે, વિરોધ શાકાહારમાં માંસાહાર ભેળવીને શ્રદ્ધાળુઓનો ધર્મ ભ્રષ્ટ કરી દેવાના ષડયંત્રનો છે. વડોદરામાં ગોમાંસ ભરીને મુસ્લિમ વેપારી દ્વારા સમોસા વેચવામાં આવતા હતા. આવા તો અનેક કિસ્સાઓ છે. અને જો ભારત માતા કી જયનું સૂત્ર પોકારવાનું કહેવામાં આવે તો ઘણા મુસ્લિમો કહે છે કે અમારો મજહબ અમને ના પાડે છે તો પછી ઓળખ છુપાવીને બીજાને છેતરીને પોતાની ચીજો વેચીને નફો કમાવાની શું ઇસ્લામ હા પાડે છે? એક વાઇરલ વીડિયોમાં એક મૌલાનાએ પ્રમાણિકતાથી કહ્યું કે ના, આ ઇસ્લામ સંમત નથી. સાશિયલ મીડિયા પર ઘણાએ કામેન્ટ કરી કે જો હિન્દુ નામ રાખીને ધંધો કરવાનું એટલું બધું ગમતું હોય તો હિન્દુ જ બની જાવ ને.
કાર્ટ સદા બંધારણને જુએ. કાયદા-નિયમને જુએ. ફૂડ સેફ્‌ટી સ્ટાન્ડર્ડ આૅથારિટી આૅફ ઇન્ડિયાનો નિયમ કહે છે કે દરેક વેપારીએ ખાદ્ય પદાર્થ વેચવા માટે લાઇસન્સ લેવું અને તેને પોતાની દુકાનમાં પ્રદર્શિત કરવું આવશ્યક છે. તો કાર્ટે કેમ આદેશ ન આપ્યો કે આ નિયમ મુજબ કાવડ યાત્રાના રૂટ પર જ નહીં, સમગ્ર ભારતમાં દરેક વેપારીએ પોતાનું સાચું નામ અને લાઇસન્સ નંબર વગેરે પ્રદર્શિત કરવું પડશે?
ઉત્તરાખંડના હલદ્વાનીમાં રેલવે ટ્રેક પાસે બાંગ્લાદેશી અને રોહિંગ્યા મુસ્લિમોએ અવૈધ અતિક્રમણ કર્યું તેવા આક્ષેપો હતા. તેને હટાવવા માટે ઉચ્ચ ન્યાયાલયે આદેશ આપ્યો અને સરકારે કાર્યવાહી કરી. આમ તો જો તેઓ બાંગ્લાદેશ અને મ્યાન્મારથી આવ્યા હોય તો તેમને દેશપાર જ કરવા જોઈએ પરંતુ સર્વોચ્ચ ન્યાયાલયમાં યાચિકા થઈ અને સર્વોચ્ચના ન્યાયમૂર્તિ સૂર્યકાંતે કહ્યું કે તેઓ માણસ છે અને દાયકાઓથી ત્યાં રહે છે. ન્યાયાલય નિર્દયી ન થઈ શકે. આ તો એવી વાત થઈ કે કોઈ માણસ તમારા ઘર પર ગેરકાયદે કબજો કરી લે અને વર્ષોથી ત્યાં રહે એટલે કાર્ટ એમ કહે કે તે માણસ છે. કોઈ ગુનેગાર હત્યા કરી નાખે તો ન્યાયાધીશ એમ કહે કે તે પણ માણસ છે.
જોકે આવું આત્યંતિક રીતે (એક્સ્ટ્રિમ રીતે) થયું પણ છે. ગત ૨૮ જૂનનો જ કિસ્સો છે. છ વર્ષની બાળકીનું અપહરણ કરી તેના પર બળાત્કાર બાદ તેની હત્યા કરી નાખવાના બે મુસ્લિમ દોષિતો પૈકી એકને ઓડિશા ઉચ્ચ ન્યાયાલયના ન્યાયમૂર્તિઓ એસ. કે. સાહૂ અને આર. કે. પટનાયકની ખંડપીઠે તેને નિર્દોષ છોડી મૂક્યો તો બીજા શેખ આસીફ અલીને ફાંસીની સજા આજીવન કેદમાં એમ કહીને બદલી નાખી કે તે પાંચ વાર નમાજ કરે છે, તેને ૬૩ વર્ષની ઘરડી માતા અને અવિવાહિત બહેન છે, ઘરમાં તે એક જ કમાનાર છે અને તે તો બિચારો મુંબઈમાં રંગકામ કરતો હતો. તેના પરિવારની આર્થિક સ્થિતિ સારી નથી અને તે પરિવારને ચાહનારો વ્યક્તિ છે. બોલો! આ હિસાબે તો ભલભલા ત્રાસવાદીઓ અને દેશદ્રોહીઓ છૂટી જ જાય.ઉત્તર પ્રદેશના ગાજિયાબાદમાં એક આલમ નામના મુસ્લિમ વ્યક્તિ ચાર બાળકોનો પિતા છે. તે પૂજા નામની હિન્દુ વિવાહિત મહિલા સાથે લિવ ઇનમાં રહેતો હતો. એક સમાચાર મુજબ, તેણે પૂજા સાથે છ મહિના પહેલાં નિકાહ કરી લીધા હતા. પરંતુ પૂજાએ તેના પર તેની પત્નીને છોડીને પોતાની સાથે જ રહેવા દબાણ કરવા લાગતા તેણે તેના દુપટ્ટાથી નિર્મમ રીતે પૂજાની હત્યા કરી નાખી. ઓડિશાના સાહૂ અને પટનાયક જેવા ન્યાયમૂર્તિઓ હશે તો આલમ છૂટી જશે.આવા કિસ્સા તો પ્રતિ દિન ખૂબ બનતા રહે છે. હવે પ્રશ્ન આવે છે કે આનો ઉપાય શું? જ્યાં સુધી લેફ્‌ટ-લિબરલ પક્ષો છે ત્યાં સુધી આનો કોઈ ઉકેલ નથી આવવાનો. કારણકે સામ્યવાદી અને કોઈ પણ ધર્મ-પંથમાં ન માનતા કહેવાતા ઉદારવાદીઓને સત્તામાં આવવા માટે ઇસ્લામી કટ્ટરતાનો સહારો હાથ વગું હથિયાર છે. ફ્રાન્સ હોય કે જર્મની, બ્રિટન હોય કે અમેરિકા, કે પછી ભારત, તમે જોઈ લો. બ્રિટનની લેબર પાર્ટી, ફ્રાન્સની તાજેતરની ચૂંટણીમાં કેન્દ્રીય પક્ષ સાથે ગઠબંધન કરીને જીતેલા ડાબેરીઓ હોય કે જર્મનીના ઍન્જેલા મેર્કેલ જેવા ઉદારવાદીઓ, તેઓ મુસ્લિમ ઘૂસણખોરો માટે દેશનાં દ્વાર ખોલી નાખે છે. તેમને શરણાર્થી બનાવીને કે બિચારા બનાવીને નાગરિક તરીકે બધા લાભ આપવા લાગે છે અને મતદાર બનાવી તેમના મત મેળવે છે.
પૂરા વિશ્વના લેફ્‌ટ-લિબરલો વચ્ચે પાછી એકતા પણ છે. સમાચારનું નેટવર્ક છે. ‘સીએનએન’થી માંડીને ભારતના ‘ઇન્ડિયા ટૂડે’ જેવાં મીડિયા તેમના હાથમાં છે. તેઓ કોઈ રાષ્ટ્રમાં માનતા નથી. તેઓ કોઈ પંથમાં માનતા નથી. તેમને તો સત્તા ભોગવીને પૈસા કમાવા હોય છે, સ્ત્રીઓ પર બહુ અત્યાચાર થાય છે તેવી ફેક ફેમિનિઝમનું વાતાવરણ મનોરંજન જગત દ્વારા અને યુનિવર્સિટીઓમાં સેમિનારો દ્વારા બનાવી, તેમને પરિવારથી અલગ કરી દઈ રંગરેલિયા મનાવવા હોય છે. આથી જ તો ન્યાયાલયોએ વ્યભિચારને અપરાધની શ્રેણીમાંથી દૂર કરી દીધો. આની સામે રાષ્ટ્રવાદીઓની તકલીફ એ છે કે તેઓ પોતાના રાષ્ટ્ર પૂરતું જ વિચારે છે. સમગ્ર વિશ્વમાં તેમનું કોઈ નેટવર્ક નથી. તેમની પાસે જેની છાપ વિશ્વસનીય હોય અને સમગ્ર વિશ્વ જેને માનથી જુએ તેવું મીડિયા નથી. દા.ત. અમેરિકાનું ફાકસ ન્યૂઝ છે પરંતુ તેને અમેરિકા બહાર કોણ જોતું હશે? જ્યારે સીએનએને અમેરિકા-ઇરાક યુદ્ધ સમયે વિશ્વને સમાચાર આપીને એક વિશ્વસનીયતા ઊભી કરી દીધી. ઇઝરાયેલ પર ૭ આૅક્ટોબર ૨૦૨૩ના દિને હમાસના ત્રાસવાદીઓએ આક્રમણ કર્યું અને જે બર્બરતા દાખવી તેના સતસ્વીર અરેરાટી ઉપજાવે તેવા સમાચાર હોવા છતાં તેને લેફ્‌ટ-લિબરલ મીડિયાએ ન છાપ્યા. પરંતુ જેવો તેણે ગાઝા પર વળતો પ્રતિકાર કર્યો કે તરત જ બેધડક સત્યના નામે લેફ્‌ટ-લિબરલ મીડિયાએ તેના સતસ્વીર સમાચાર છાપ્યા. કારણ, ઇઝરાયેલ તરફી એવું કોઈ મીડિયા જ નથી! રાષ્ટ્રવાદીઓ ખ્રિસ્તી, શ્વેત, યહૂદી, હિન્દુ, તેમાંય પાછા સવર્ણ, દલિત, જૈન, શીખ, પારસી, બૌદ્ધ વગેરે ઢાંચામાં વિભાજીત છે. યુનિવર્સિટી, કાર્ટ, મનોરંજન જગત, પ્રાઇવેટ કંપનીઓ વગેરેમાં નોકરી કરવી હોય-કામ મેળવવું હોય તો તેમની ઇકા સિસ્ટમ જ નથી. ઉલટું રાષ્ટ્રવાદીઓને નોકરી-ધંધો મેળવવામાં તકલીફ પડે છે. જ્યારે લેફ્‌ટ-લિબરલ જો ભારતનો હશે તો પણ તેને હાર્વર્ડમાં લેક્ચર માટે બોલાવાશે. તેમને પત્રકારત્વની સંસ્થાઓ પણ લેક્ચર માટે બોલાવશે.
લેફ્‌ટ-લિબરલો લુચ્ચા શિયાળ જેવા છે, જ્યારે રાષ્ટ્રવાદીઓની છબિ ઘૂરકિયા કરતા સિંહ જેવી છે. રાષ્ટ્રવાદીઓ અપમાનજનક ભાષા બોલી બેસે છે. રાડારાડી કરવા લાગે છે. આના કારણે તેમની વાત સાચી હોવા છતાં લોકોને પસંદ પડતી નથી. જ્યારે લેફ્‌ટ-લિબરલો હસતાં-હસતાં પણ પોતાનો નેરેટિવ સાબિત કરી દે છે. દા.ત. રાજદીપ સરદેસાઈએ સંસદ પર ૨૦૦૧માં ત્રાસવાદીઓએ આક્રમણ કર્યું તે વખતે બીજા પત્રકારો ન આવે તે માટે સંસદનો દરવાજો બંધ કરાવી દીધો અને પાછું કહ્યું પણ ખરું કે છેવટે તો અમે ગીધ છીએ. તેમ છતાં તેમની નોકરીને ઊની આંચ નથી આવી. તેમને ઘરે બેસવું નથી પડ્‌યું. ખેડૂતોના આંદોલન વખતે ખેડૂતની પોલીસ ગોળીબારમાં હત્યાના ફૅક ન્યૂઝ તેમણે ફેલાવ્યા તે વખતે થોડા દિવસ તેમને ટીવી પરથી હટાવાયા અને થોડા દિવસ પછી ફરી લઈ લેવાયા. આજે રોજ નવ વાગે તેઓ ઇન્ડિયા ટૂડે પર ટીવી ડીબેટ કરે છે અને ‘લલ્લન ટાપ’ની નેતાનગરીમાં પણ સંસદમાં શું થયું, રાજકારણમાં શું થયું તેની ચર્ચા કરતા હોય છે. દર વખતે તેઓ રાહુલ ગાંધી પહેલાં કરતાં વધુ મેચ્યાર થયા છે તેવું સાબિત કરવા (નિરર્થક પ્રયાસ) કરે છે.
ઇસ્લામી સ્થળાંતરિતો અને શરણાર્થીઓથી યુરોપ પણ ત્રસ્ત છે અને ભારત પણ. એટલે તો યુરોપમાં જમણેરી પક્ષોને ચૂંટણીમાં વધુ મતો મળવા લાગ્યા છે. આવા સંજોગોમાં લેફ્‌ટ-લિબરલો અને જિહાદીઓની અનૈતિક-અપરાધિક યુતિ સામે લડવું હશે તો વિશ્વ ભરના હિન્દુ, ખ્રિસ્તી, યહૂદી, બૌદ્ધોએ એક થવું પડશે. સમાચારની ઇકા સિસ્ટમ બનાવવી પડશે અને એકબીજાને આર્થિક – નૈતિક અને કાનૂની ટેકો કરવો પડશે.