અમરેલીના પ્રતાપરપરા ગામે વાડીએ રહેતા મૂળ આણંદ તાલુકાના એક પરિવારની સગીર પુત્રીને મૂળ રાજસ્થાનના સેંડ નાની બાંસવાડા અને હાલ અમદાવાદના વસ્ત્રાલ ખાતે રહેતો યુવક લગ્નની લાલચ આપીને અપહરણ કરીને લઈ ગયો હતો.
આ બનાવ અંગે સગીરાના પિતાએ સનાભાઈ બચુભાઈ મછાર સામે નોંધાવેલી ફરિયાદ પ્રમાણે, આરોપી તેમની સગીર પુત્રીને લલચાવી, ફોસલાવી, લગ્ન કરવાની લાલચ આપી બદકામના ઈરાદે તેમના વાલીપણામાંથી ભગાડી, અપહરણ કરીને લઈ ગયો હતો. જેના કારણે સગીરાના પિતાએ પોલીસ ફરિયાદ નોંધાવી હતી. અમરેલી તાલુકા પોલીસ સ્ટેશનના ઈન્ચાર્જ પીઆઈ પી.બી.લક્કડ આ બનાવની વધુ તપાસ કરી રહ્યા છે.