તાજેતરમાં સમગ્ર દેશમાં ફોર્ટીફાઈડ ચોખા મધ્યાહન ભોજન માટે વિતરણ કરાયા છે. આ ચોખા પ્લાસ્ટિકના હોવાનું લોકો માની રહ્યા છે અને આ પ્રકારની અફવાઓ પણ ફેલાવી રહ્યા છે. ત્યારે તંત્ર દ્વારા અપીલ કરવામાં આવી છે કે, લાભાર્થીઓને અપાતા આ ફોર્ટીફાઈડ ચોખા પ્લાસ્ટિકના હોવાની ગેરસમજણથી દૂર રહેવું.