બગસરાના વોર્ડ નંબર એકમાં નટવરનગર વિસ્તારમાં લોકફાળાથી હનુમાનજીનું ભવ્ય મંદિર બનાવવામાં આવ્યું હતું. આ મંદિરની પ્રાણ પ્રતિષ્ઠા સમયે બટુક ભોજન અને સુંદરકાંડના પાઠનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું હતું. જયારે આ મંદિરના નવનિર્માણ માટે લોકો દ્વારા અલગ અલગ પ્રકારનો ફાળો આપવામાં આવ્યો હતો. આ વિસ્તારમાં રહેતા લોકો દ્વારા જ મંદિર બનાવવામાં આવ્યું હતું અને પ્રાણ પ્રતિષ્ઠા કરવામાં આવી હતી.