અમરેલી જિલ્લામાં ઘણા લોકોની ઉંમર વીતી જવા છતાં લગ્ન થતાં નથી. લગ્ન માટે આવા લોકો ક્યારેક લૂંટેરી દુલ્હનની ટોળકીમાં ફસાતા હોય છે. બગસરામાં રહેતો એક વેપારી લૂંટેરી દુલ્હનનો ભોગ બન્યો હતો. બનાવ અંગે દિનેશભાઈ જયસુખભાઈ સોમાણી (ઉ.વ.૪૨)એ નાનજીભાઇ આહીર રહે.વેકરીયા તા.વિસાવદર જી.જૂનાગઢ, વિરલભાઇ ગઢવી રહે.ધરમપુર ચોકી જી.વલસાડ, સંજયભાઇ પટેલ પાનેરા જી.વલસાડ તથા શબીનાબેન વિનુભાઇ વળવી રહે.પાનેરા જી.વલસાડ સામે ફરિયાદ નોંધાવી હતી. પોલીસમાં જાહેર થયેલી વિગત પ્રમાણે, નાનજીભાઈ આહીર, વિરલભાઈ ગઢવી અને સંજયભાઈ પટેલ પાનેરાએ શબીનાબેન વિનુભાઈ વળવી સાથે તેમના લગ્ન કરાર કરાવી રૂ. ૧,૪૦,૦૦૦નો વિશ્વાસઘાત અને છેતરપિંડી કરી હતી.
બગસરા પોલીસ સ્ટેશનના પીએસઆઈ ડી.ડી. ડાંગર વધુ તપાસ કરી રહ્યા છે.