બગસરામાં આવેલા આપાગીગા ગાદી મંદિરમાં મહંત જેરામ બાપુની નિશ્રામાં ગુરુપૂર્ણિમા મહોત્સવની ભવ્ય ઉજવણી કરવામાં આવી હતી. સવારે ગાદી મંદિરમાં પૂજ્ય મહંત બાપુ તેમજ સેવક પરિવારની હાજરીમાં ગણેશ પૂજન, પાદુકા પૂજન તેમજ નિજ મંદિરમાં સમાધિ સ્થાનમાં પૂજન કરવામાં આવ્યું હતું. સેવક પરિવાર દ્વારા મહંત જેરામ બાપુનું પૂજન તેમજ સન્માન કરાયું હતું. બહોળી સંખ્યામાં સેવક પરિવારે હાજરી આપી હતી. આ કાર્યક્રમનું સંચાલન સેવક પરિવાર તેમજ કોઠારી હરિબાપુએ સંભાળ્યું હતું.