બાબરાની કોર્ટે ગેરરીતિના કેસમાં તલાટી કમ મંત્રીને છોડી મુકવાનો આજે ચુકાદો આપેલ હતો. કેસની વિગત મુજબ ૧૯૯૯-૨૦૦૦ના વર્ષમાં તલાટી કમ મંત્રીએ વિકાસના કામોમાં ગેરરીતિ આચરેલ હોય તેવા આક્ષેપ સાથે તાલુકા વિકાસ અધિકારી દ્વારા ૧૩ ડિસેમ્બર ૨૦૦૧ના રોજ દેવચંદભાઈ પ્રાગજીભાઈ સામે ફરિયાદ દાખલ કરેલ. જે મામલો કોર્ટમાં ચાલતો હતો. આરોપી વતી સિનિયર એડવોકેટ આર.સી.દવેએ પોતાના અસીલના બચાવમાં ધારદાર રજુઆત કરી હતી. જે અંતર્ગત આજ રોજ તલાટી કમ મંત્રી દેવચંદભાઈ પ્રાગજીભાઈને નિર્દોષ છોડ મુકવા કોર્ટે ચુકાદો આપ્યો હતો.