અવિરત વરસાદને કારણે રસ્તાઓ અને રેલવે ટ્રેક પર પાણી ભરાઈ ગયા છે, જેના કારણે ઉપનગરીય ટ્રેન સેવાઓમાં વિલંબ
(એ.આર.એલ),મુંબઇ,તા.૨૨
ભારતની આર્થિક રાજધાની મુંબઈ ભારે વરસાદને કારણે થંભી ગયું હતું. અહીં આજે સતત બીજા દિવસે વરસાદ પડી રહ્યો છે. કેટલાક વિસ્તારોમાં સવારે માત્ર એક કલાકમાં ૩૪ મીમી જેટલો વરસાદ નોંધાયો હતો, જેના કારણે જાહેર પરિવહન સેવાઓ ખોરવાઈ ગઈ હતી. ભારે વરસાદને કારણે ઘણી જગ્યાએ શાળાઓ બંધ કરવામાં આવી હતી. તમને જણાવી દઈએ કે, સોમવારે સવારે ૮ વાગ્યા સુધી મુંબઈમાં ઘણા સ્થળોએ છેલ્લા ૨૪ કલાકમાં ૨૦૦ મીમીથી વધુ વરસાદ નોંધાયો છે. ભારે વરસાદની ચેતવણીને કારણે વહીવટીતંત્રે મહારાષ્ટÙના તટીય વિસ્તારમાં નાગપુર, ભંડારા, ગોંદિયા, ચંદ્રપુર અને ગઢચિરોલી જિલ્લાઓ અને રાયગઢ જિલ્લાના ચાર તાલુકાઓમાં સોમવારે શાળાઓમાં રજા જાહેર કરવામાં આવી હતી
નેશનલ ડિઝાસ્ટર રિસ્પોન્સ ફોર્સની ત્રણ ટીમો મુંબઈ અને તેના ઉપનગરોમાં ઊંચા મોજા અને ભારે વરસાદની આગાહી વચ્ચે કોઈપણ પરિÂસ્થતિનો સામનો કરવા માટે મુંબઈમાં તૈનાત કરવામાં આવી છે. મ્યુનિસિપલ બોડીના જણાવ્યા અનુસાર, બપોરે ૧૨ઃ૫૯ વાગ્યે દરિયામાં ૪.૫૯ મીટર ઊંચા મોજાં ઉછળશે.
ભારતીય હવામાન વિભાગે સોમવારે સવારે ૮ વાગ્યાથી શરૂ થતા આગામી ૨૪ કલાક માટે તેની આગાહીમાં શહેર અને ઉપનગરોમાં ભારેથી અતિ ભારે વરસાદ અને કેટલાક સ્થળોએ અતિ ભારે
આભાર – નિહારીકા રવિયા વરસાદની આગાહી કરી છે. મલબાર અને મુલુંડ હિલમાં સવારે ૬ થી ૭ વાગ્યાની વચ્ચે ૩૪ મીમી વરસાદ નોંધાયો હતો, ત્યારબાદ ભાંડુપમાં ૨૯ મીમી, વડાલા પૂર્વમાં ૨૪ મીમી અને વર્સોવામાં ૨૦ મીમી વરસાદ નોંધાયો હતો.
બીએમસીના જણાવ્યા અનુસાર, માનખુર્દમાં નૂતન વિદ્યામંદિરમાં ૨૨૪ મીમી, વડાલાના નાડકર્ણી પાર્કમાં ૨૨૩ મીમી અને ભાંડુપમાં ‘એન’ વોર્ડ ઓફિસમાં ૨૧૫ મીમી વરસાદ નોંધાયો છે. વધારાના વરસાદના માપનમાં માનખુર્દ ફાયર સ્ટેશનમાં ૨૧૨ મીમી વરસાદ, વરલીના આદર્શ નગરમાં ૨૦૪ મીમી વરસાદ, સેવરી કોલીવાડામાં ૨૦૩ મીમી અને ઘાટકોપરના રમાબાઈ નગરમાં ૨૦૨ મીમી વરસાદ નોંધાયો હતો.
મહારાષ્ટÙની રાજધાનીમાં જાહેર પરિવહન સેવાઓને નોંધપાત્ર અસર થઈ છે. અવિરત વરસાદને કારણે રસ્તાઓ અને રેલવે ટ્રેક પર પાણી ભરાઈ ગયા છે, જેના કારણે ઉપનગરીય ટ્રેન સેવાઓમાં વિલંબ થઈ રહ્યો છે. ટ્રેનો પાંચથી ૧૦ મિનિટ મોડી દોડી રહી છે.પશ્ચિમ રેલવેએ જણાવ્યું હતું કે સોમવારે સવારે લોકલ ટ્રેન સેવાઓ સામાન્ય રીતે ચાલી રહી હતી. જાકે, મુસાફરોએ દાવો કર્યો હતો કે ટ્રેનો પાંચથી ૧૦ મિનિટ મોડી ચાલી રહી છે. મધ્ય રેલવેએ એમ પણ કહ્યું કે ચારેય કોરિડોર પર લોકલ સેવાઓ સામાન્ય છે. જા કે, મુસાફરોએ અહેવાલ આપ્યો હતો કે સિગ્નલની સમસ્યાને કારણે સવારના ભીડના સમયે કલ્યાણ અને ઠાકુર્લી સ્ટેશનો વચ્ચે ટ્રેન ટ્રાફિકને અસર થઈ હતી. એક મુસાફરે કહ્યું કે ઘણા મુસાફરોએ ટ્રેક પર ચાલવાનું શરૂ કર્યું કારણ કે ટ્રેનો ખૂબ મોડી આવી રહી હતી.એક નાગરિક અધિકારીએ જણાવ્યું કે બૃહન્મુંબઈ ઈલેક્ટ્રસિટી સપ્લાય એન્ડ ટ્રાન્સપોર્ટ બસોના રૂટમાં કોઈ ફેરફાર કરવામાં આવ્યો નથી.એક દિવસ પહેલા, મુંબઈ અને ઉપનગરોમાં ભારે વરસાદ પડ્યો હતો, જેના કારણે ઘણા વિસ્તારોમાં રસ્તાઓ પાણીમાં ડૂબી ગયા હતા, ફ્લાઈટ્‌સ ડાયવર્ટ કરવામાં આવી હતી અને દાદર અને માટુંગા સ્ટેશનો વચ્ચે લોકલ ટ્રેન ટ્રાફિકને થોડી અસર થઈ હતી. મુંબઈમાં રવિવારથી સતત પડી રહેલા વરસાદને કારણે સંજય ગાંધી નેશનલ પાર્કમાંથી નીકળતી મીઠી નદીમાં પાણી ભરાઈ ગયું છે.મહારાષ્ટÙમાં અન્યત્ર, કોંકણ અને વિદર્ભ પ્રદેશોમાં સપ્તાહના અંતથી ભારે વરસાદ થઈ રહ્યો છે, જેના કારણે નદીઓ વહેતી થઈ છે અને નીચાણવાળા વિસ્તારો ડૂબી ગયા છે. આ કારણે મુંબઈ અને રાજ્યના અન્ય ભાગોમાં નેશનલ ડિઝાસ્ટર રિસ્પોન્સ ફોર્સની ટીમો તૈનાત કરવામાં આવી છે.એનડીએફએફના એક અધિકારીએ જણાવ્યું કે, ‘અમે વસઈ (પાલઘર જિલ્લો), થાણે, ઘાટકોપર અને પવઈ (મુંબઈમાં), મહાડ (રાયગઢ), ખેડ અને ચિપલુણ (રત્નાગિરી), કુડાલ (સિંધુદુર્ગ), કોલ્હાપુર, સાંગલીમાં ઓપરેશન હાથ ધર્યા છે. ચોમાસાની સીઝનમાં એનડીઆરએફની ટીમો સતારામાં તૈનાત કરવામાં આવી છે. આ ઉપરાંત ત્રણ ટીમ મુંબઈમાં અને એક ટીમ નાગપુરમાં તૈનાત છે.મુખ્યમંત્રી એકનાથ શિંદેએ રવિવારે અધિકારીઓને હાઈ એલર્ટ પર રહેવાનો નિર્દેશ આપ્યો છે. શિંદેએ કહ્યું કે રાજ્ય આપત્તિ પ્રતિભાવ દળો, સ્થાનિક વહીવટીતંત્ર, મ્યુનિસિપલ સંસ્થાઓ, પોલીસ વગેરેએ ભારતીય હવામાન વિભાગ પાસેથી નિયમિત હવામાનની માહિતી લેવી જાઈએ અને નાગરિકોને રાહત આપવા માટે યોજનાઓ બનાવવી જાઈએ.