મમતા બેનર્જીએ ૨૮ ઓગસ્ટે કહ્યું હતું કે અમે આવતા અઠવાડિયે વિધાનસભાનું સત્ર બોલાવીશું અને ૧૦ ૧૦ દિવસમાં દોષિતને ફાંસીના માંચડે લટકાવવા માટે બિલ પસાર કરીશું.બીજેપી નેતા સુકાંત મજુમદારે રવિવારે કહ્યું કે અમે નિર્ણય કર્યો છે કે અમે મમતા બેનર્જીના આ બિલને સમર્થન આપીશું. જા કે, મમતાના રાજીનામાની માંગ સાથે વિધાનસભાની અંદર વિરોધ પ્રદર્શન ચાલુ રહેશે.સરકારે બે દિવસનું વિશેષ સત્ર બોલાવ્યું છે જેમાં બળાત્કારના દોષિતને મૃત્યુદંડ આપવાનું એન્ટી રેપ બિલ રજૂ કરવામાં આવશે મમતાએ કોલકાતામાં તૃણમૂલ છાત્ર પરિષદના સ્થાપના દિવસના કાર્યક્રમમાં ભાષણ આપ્યું હતું. ત્યારબાદ તેમણે વિધાનસભા સત્ર બોલાવવાની માહિતી આપી હતી.
આરજી કર મેડિકલ કોલેજ અને હોÂસ્પટલમાં ૮-૯ ઓગસ્ટની રાત્રે ૩૧ વર્ષીય ટ્રેઈની ડોક્ટર પર રેપ અને હત્યા કરવામાં આવી હતી. ૯ ઓગસ્ટની સવારે ડાક્ટરનો મૃતદેહ મળી આવ્યો હતો. આ પછી દેશભરના ડોક્ટરો રસ્તા પર ઉતરી આવ્યા હતા. સુપ્રીમ કોર્ટની અપીલ બાદ અનેક હોÂસ્પટલોના ડોક્ટરોએ હડતાળ સમેટી છે. જા કે બંગાળમાં વિરોધ પ્રદર્શન ચાલુ છે.
બંગાળી ફિલ્મ ઈન્ડસ્ટ્રીની ઘણી મોટી હસ્તીઓએ રવિવારે મોડી રાત સુધી વિરોધ પ્રદર્શન કર્યું હતું. તેમણે સરકાર પાસે કોલકાતા રેપ કેસની પીડિતાને ન્યાય આપવાની માંગ કરી હતી. અભિનેત્રી સ્વÂસ્તકા મુખર્જીએ કહ્યું કે અમે જાણીએ છીએ કે સીબીઆઈ આ કેસની તપાસ કરી રહી છે, પરંતુ અહેવાલો સામે આવ્યા છે કે કેસના ઘણા તથ્યોને ડરાવવાનો પ્રયાસ કરવામાં આવી રહ્યો છે. તેથી અમને સરકાર પાસેથી જવાબની જરૂર છે.અપર્ણા સેન, સ્વÂસ્તક મુખર્જી, સુદીપ્તા ચક્રવર્તી, ચૈતી ઘોષાલ જેવા કલાકારોએ પ્રદર્શનમાં ભાગ લીધો હતો.
કોલકાતા રેપ-મર્ડર કેસના આરોપી સંજય રોયે ટ્રેઇની ડોક્ટરના મોત મામલે નવો દાવો કર્યો છે. ટાઈમ્સ ઓફ ઈન્ડીયાના અહેવાલ મુજબ પોલીગ્રાફ ટેસ્ટમાં તેણે સીબીઆઈને જણાવ્યું કે તે ૮ ઓગસ્ટની રાત્રે ભૂલથી સેમિનાર રૂમમાં ઘૂસી ગયો હતો. આરોપીના કહેવા મુજબ એક દર્દીની હાલત ખરાબ હતી. તેને ઓકસીજનની જરૂર હતી. તેથી જ તે ડાક્ટરને શોધી રહ્યો હતો. આ દરમિયાન ત્રીજા માળે આવેલા સેમિનાર રૂમમાં ગયો હતો. ત્યાં એક ટ્રેઇની ડોક્ટરની લાશ પડી હતી. તેણે શરીરને હલાવી જાયું, પણ કોઈ હલચલ ન થઈ. જેના કારણે તે ડરી ગયો અને બહાર દોડી ગયો હતો.
આ દરમિયાન તે કોઈ ચીજ સાથે અથડાયો હતો અને તેનું બ્લૂટૂથ ડિવાઈસ પડી ગયું હતું. આરોપીએ દાવો કર્યો હતો કે તે ટ્રેઇની ડાક્ટરને પહેલેથી ઓળખતો ન હતો. તેણે કહ્યું કે ઘટનાના દિવસે હોસ્પિટલના ગેટ પર કોઈ સુરક્ષા નહોતી અને કોઈએ તેને રોક્યો નહોતો.
આરજી કર મેડિકલ કોલેજ અને હોસ્પિટલમાં ૮-૯ ઓગસ્ટની રાત્રે ૩૧ વર્ષીય ટ્રેઈની ડાક્ટર પર રેપ બાદ હત્યા કરવામાં આવી હતી. ૯ ઓગસ્ટની સવારે ડાક્ટરનો મૃતદેહ મળી આવ્યો હતો. આ પછી દેશભરના ડોક્ટરો રસ્તા પર ઉતરી આવ્યા હતા. સુપ્રીમ કોર્ટની અપીલ બાદ અનેક હોÂસ્પટલોના ડોક્ટરોએ હડતાળ સમેટી છે. જા કે બંગાળમાં વિરોધ પ્રદર્શન ચાલુ છે.
કલકત્તા હાઈકોર્ટના આદેશ પર સીબીઆઈ આ કેસની તપાસ કરી રહી છે. ૨૯ ઓગસ્ટના રોજ, એજન્સીએ હોસ્પિટલના બે સિક્યોરિટી ગાર્ડનો પોલીગ્રાફ ટેસ્ટ (લાઈ ડિટેક્ટર ટેસ્ટ) કરાવ્યો હતો. તે રાત્રે બંને ગાર્ડ હોસ્પિટલના મુખ્ય ગેટ પર તહેનાત હતા. સંજય બાઇક પર આવ્યો અને ત્રીજા માળે ગયો હતો.