મહારાષ્ટ્રમાં ગુઇલેન-બેરે સિન્ડ્રોમનો પહેલો કેસ ૯ જાન્યુઆરીએ નોંધાયો હતો. અત્યાર સુધીમાં ૨૨૫ શંકાસ્પદ કેસ નોંધાયા છે. ૧૭૯ દર્દીઓ સાજા થયા છે. ૨૪ ની સારવાર ચાલુ છે. ૧૫ વેન્ટીલેટર પર છે. કુલ ૧૨ મૃત્યુ નોંધાયા છે. આમાંથી, ૬ કેસોમાં મૃત્યુનું કારણ જીબીએસ(હાથ-પગમાં નબળાઈ કે કળતર થવી) હતું અને ૬ કેસોમાં મૃત્યુનું કારણ અનિશ્ચિત હતું.
મહારાષ્ટ્ર આરોગ્ય વિભાગના જણાવ્યા અનુસાર, આ બધા કેસ પુણે મ્યુનિસિપલ કોર્પોરેશન, પુણે મ્યુનિસિપલ કોર્પોરેશન ગામડાઓ, પિંપરી ચિંચવાડ મ્યુનિસિપલ કોર્પોરેશન, પુણે ગ્રામીણ અને અન્ય જિલ્લાઓના છે. આ વિસ્તારોમાંથી ૭૨૬૨ પાણીના નમૂના રાસાયણિક અને જૈવિક વિશ્લેષણ માટે પ્રયોગશાળામાં મોકલવામાં આવ્યા હતા. ૧૪૪ જળ સ્ત્રોતોમાં ચેપ જાવા મળ્યો છે.
વહીવટીતંત્રે આ જિલ્લાઓમાં ૮૯૬૯૯ ઘરોની મુલાકાત પણ લીધી છે. આમાં પુણે મ્યુનિસિપલ કોર્પોરેશનમાં ૪૬,૫૩૪, પિંપરી ચિંચવાડ મ્યુનિસિપલ કોર્પોરેશનમાં ૨૯,૨૦૯ અને પુણે ગ્રામીણમાં ૧૩,૯૫૬ ઘરોનો સમાવેશ થાય છે.
માહિતી મુજબ, સારવાર મોંઘી છે, એક ઇન્જેક્શનનો ખર્ચ રૂ. ૨૦,૦૦૦ છે. ય્મ્જી ની સારવાર મોંઘી છે. ડોકટરોના મતે, દર્દીઓને સામાન્ય રીતે ઇમ્યુનોગ્લોબ્યુલિન ઇન્જેક્શનનો કોર્સ કરાવવો પડે છે. ખાનગી હોસ્પિટલમાં એક ઇન્જેક્શનનો ખર્ચ ૨૦ હજાર રૂપિયા છે. પુણેની એક હોસ્પિટલમાં દાખલ ૬૮ વર્ષીય દર્દીના પરિવારે જણાવ્યું કે સારવાર દરમિયાન તેમના દર્દીને ૧૩ ઇન્જેક્શન આપવા પડ્યા.
ડોક્ટરોના મતે,જીબીએસથી પ્રભાવિત ૮૦% દર્દીઓ હોસ્પિટલમાંથી રજા મળ્યાના ૬ મહિનાની અંદર કોઈપણ પ્રકારના ટેકા વગર ચાલવાનું શરૂ કરી દે છે. પરંતુ ઘણા કિસ્સાઓમાં, દર્દીને એક વર્ષ કે તેથી વધુ સમય લાગે છે.