(એ.આર.એલ),મુંબઈ,તા.૨૭
મહારાષ્ટ વિધાનસભા ચૂંટણીને કારણે અજિત પવાર જૂથને મોટો ફટકો પડ્યો છે.એનસીપી (અજિત જૂથ)ના મોટા મુસ્લમ ચહેરા બાબાજાની દુર્રાની શરદ પવાર જૂથની એનસીપીમાં જાડાયા છે. દુર્રાની શુક્રવારે સંભાજીનગરની મુલાકાત દરમિયાન શરદ પવારને મળ્યા હતા. આજે તેઓ શરદ પવારની હાજરીમાં એનસીપી (શરદ જૂથ)માં જાડાયા હતા.દુર્રાનીએ કહ્યું કે અજીત જૂથ વિરોધી વિચારધારા સાથે ઊભું છે. દુર્રાનીએ એનસીપી છોડવાનું કારણ ભારતીય જનતા પાર્ટી અને એકનાથ શિંદેની શિવસેના સાથેના વૈચારિક મતભેદોને ટાંક્યા હતા. દુર્રાનીએ કહ્યું કે વૈચારિક રીતે એનસીપી ભાજપ અને શિવસેના સાથે સુમેળમાં નથી, ગોઠવણ મુશ્કેલ બનાવે છે.