વ્યાજમાફીની રકમ ખેડૂતોના ખાતામાં જમા કરવામાં આવી
અમરેલી,તા.રપ
રાજુલા તાલુકાના માંડરડી ગામે સ્કાય ફીડરમાં વીજબિલ બાબતે વ્યાજમાફી આપવા બાબતે ખેડૂતોએ ધારાસભ્ય મહેશભાઈ કસવાલા, હીરાભાઈ સોલંકી, માર્કેટીંગ યાર્ડના પ્રમુખ જીજ્ઞેશભાઈ પટેલને આ બાબતે રજૂઆત કરી હતી.
જેથી આ આગેવાનોએ ખેડૂતોના પ્રશ્ને ઉર્જામંત્રીને રજૂઆત કરી હતી. ઉર્જામંત્રીએ ધારાસભ્યો સહિતના આગેવાનોની રજૂઆત ધ્યાને લઈ ખેડૂતોના વ્યાજમાફીની રકમ ખેડૂતોના ખાતામાં જમા થતા ખેડૂતોએ ધારાસભ્યો, આગેવાનો, પીજીવીસીએલ અને રાજય સરકારનો આભાર માન્યો છે.