જાફરાબાદના મીતીયાળા ગામે એક કરૂણ ઘટના બની છે. દોઢ વર્ષ પહેલા થયેલા પુત્રીના મોતના વિરહમાં માતાએ ઝેરી દવા પીધી હતી. આ બનાવ અંગે ટીણાભાઈ ભગવાનભાઈ સાંખટ (ઉ.વ.૩૫)એ જાહેર કર્યા મુજબ, ભોગ બનનાર મનીષાબેનની ૬ વર્ષની દીકરીનું દોઢ વર્ષ પહેલા મરણ થયું હતું. જેનો આઘાત સહન ન થતાં ઝેરી દવા પી લીધી હતી. જાફરાબાદ ટાઉન પોલીસ સ્ટેશનના એ.એસ.આઈ. રફીકભાઈ ભીખુભાઈ રાઠોડ વધુ તપાસ કરી રહ્યા છે.