રાજુલા શહેરમાં કારગીલ વિજય દિવસ પ્રસંગે વીર જવાનોની શહાદતને વીરાંજલિના ભાગરૂપે રાજુલા શહેરના માર્કેટિંગ યાર્ડમાંથી મશાલ રેલીનું આયોજન કરવામાં આવ્યું હતું.
જે રાજુલા શહેરના મુખ્ય માર્ગ પર જય જય શ્રી રામ, વંદે માતરમ, ભારત માતા કી જયના નારા સાથે શહેરના માર્ગો પર નીકળી હતી. અમર જવાનોને પુષ્પાંજલિ અર્પણ કરવામાં આવી હતી. આ કાર્યક્રમનું આયોજન ભારતીય જનતા પાર્ટી યુવા મોરચા દ્વારા કરવામાં આવ્યું હતું.
જેમાં રાજુલા શહેરના યુવા ભાજપના તમામ યુવાનો તેમજ શહેર તેમજ તાલુકા ભાજપના તમામ કાર્યકરો, શહેરના અગ્રણી વેપારીઓ, વિવિધ સંસ્થાના આગેવાનો, રાજુલા ચેમ્બર ઓફ કોમર્સના હોદ્દેદારો સહિતના અનેક યુવાનો જોડાયા હતા.