ભૂતપૂર્વ વડા પ્રધાન મનમોહન સિંહનું સ્મારક રાષ્ટ્રીય સ્મારકમાં જ બનાવવામાં આવશે. તે ભૂતપૂર્વ રાષ્ટ્રપતિ પ્રણવ મુખર્જીના સ્મારક પાસે બનાવવામાં આવશે. એવું કહેવાય છે કે પૂર્વ પીએમના પરિવારે સ્મારક માટે સંમતિ આપી દીધી છે. એવું કહેવાય છે કે મનમોહન સિંહના પરિવારે ગૃહ અને શહેરી વિકાસ મંત્રાલયને પત્ર લખીને પ્રસ્તાવિત સ્થળને મંજૂરી આપી દીધી છે. પરિવારે વિભાગને સ્વીકૃતિ પત્ર મોકલી દીધો છે.
પૂર્વ વડા પ્રધાન મનમોહન સિંહનું ૨૬ ડિસેમ્બરના રોજ અવસાન થયું. દિલ્હીના નિગમ બોધ ઘાટ ખાતે રાજકીય સન્માન સાથે તેમના અંતિમ સંસ્કાર કરવામાં આવ્યા. આ પછી, પૂર્વ પીએમના સ્મારક સ્થળને લઈને વિવાદ શરૂ થયો. તાજેતરમાં, સરકારે ભૂતપૂર્વ વડા પ્રધાન મનમોહન સિંહના સ્મારક સ્થળ માટે જગ્યા શોધવાનું શરૂ કર્યું હતું.
આ માટે, રાષ્ટ્રપતિ, ઉપરાષ્ટ્રપતિ અને વડા પ્રધાનોના અંતિમ સંસ્કાર માટે નિયુક્ત સ્થળ, રાષ્ટ્રીય સ્મારકની નજીક, કિસાન ઘાટ ખાતે ભૂતપૂર્વ વડા પ્રધાન ચૌધરી ચરણ સિંહના સ્મારકની નજીક અને સંજય ગાંધીની સમાધિની નજીક જમીન જાવામાં આવી હતી. આ ઉપરાંત, પૂર્વ પીએમની ત્રણ પુત્રીઓ અને તેમના પતિઓએ પણ પ્રસ્તાવિત સ્મારક સ્થળની મુલાકાત લીધી હતી.
ભૂતપૂર્વ પ્રધાનમંત્રીના સ્મારક માટે રાષ્ટ્રીય સ્મારકમાં સરકાર દ્વારા પ્રસ્તાવિત જગ્યા લગભગ ૯૦૦ ચોરસ મીટરમાં ફેલાયેલી છે. અહીં ઘણા ભૂતપૂર્વ વડા પ્રધાનો અને રાષ્ટ્રપતિઓના સ્મારકો છે. ભૂતપૂર્વ રાષ્ટÙપતિ પ્રણવ મુખર્જીનું સ્મારક મનમોહન સિંહ માટે પ્રસ્તાવિત સ્થળની નજીક છે.
સ્મારક બનતા પહેલા, ભૂતપૂર્વ વડા પ્રધાન મનમોહન સિંહની યાદમાં એક ટ્રસ્ટની રચના કરવામાં આવશે. સ્મારક સ્થળની જમીન ફક્ત ટ્રસ્ટના નામે ટ્રાન્સફર કરવામાં આવશે. ભૂતપૂર્વ વડા પ્રધાનનો પરિવાર ટ્રસ્ટના સભ્યોના નામનો પ્રસ્તાવ મૂકશે અને તેમને અંતિમ સ્વરૂપ આપશે. ટ્રસ્ટની રચના પછી, સરકાર સ્મારકના નિર્માણ માટે ૨૫ લાખ રૂપિયાનું અનુદાન આપશે. સેન્ટ્રલ પÂબ્લક વર્ક્‌સ ડિપાર્ટમેન્ટના અધિકારીઓ પહેલાથી જ સ્થળની મુલાકાત લઈ ચૂક્્યા છે.