ભારતીય જનતા પાર્ટીએ કોંગ્રેસના નેતા રાહુલ ગાંધી પર પોતાના જ પક્ષના નેતાઓ વિશેની ટિપ્પણી બદલ વળતો પ્રહાર કર્યો અને કહ્યું કે તેમણે પહેલા સમજવું જાઈએ કે ચૂંટણીમાં તેમની પાર્ટીની હાર માટે તેઓ પોતે જવાબદાર છે અને તેથી તેમણે પોતાની નિષ્ફળતાઓ માટે બીજાઓને દોષ આપવાનું બંધ કરવું જાઈએ.
પોતાના બે દિવસના ગુજરાત પ્રવાસના બીજા દિવસે પાર્ટી કાર્યકરોને સંબોધતા રાહુલે કહ્યું હતું કે ભાજપ માટે કામ કરી રહેલા પાર્ટીના નેતાઓ અને કાર્યકરોને ઓળખવાની જરૂર છે. તેમની ટિપ્પણી પર પ્રતિક્રિયા આપતા, ભાજપના રાષ્ટ્રીય પ્રવક્તા સુધાંશુ ત્રિવેદીએ કહ્યું કે જ્યારથી રાહુલ અને તેમની માતા સોનિયા ગાંધીએ પાર્ટીની કમાન સંભાળી છે, ત્યારથી કોંગ્રેસની હાલત કથળી છે.
ભાજપના રાષ્ટ્રીય પ્રવક્તા ત્રિવેદીએ પાર્ટી મુખ્યાલયમાં પત્રકારોને જણાવ્યું હતું કે, ‘કોંગ્રેસના ૧૪૦ વર્ષના ઇતિહાસમાં સૌથી નિષ્ફળ નેતા ગુજરાતમાં પાર્ટી કાર્યકરો સાથે બેઠકો કરી રહ્યા હતા અને તેમને સફળતાનો મૂળ મંત્ર શીખવી રહ્યા હતા.’ ભલે આ પાર્ટીનો આંતરિક મામલો હોય, પરંતુ તેમના નિવેદનો ચોક્કસપણે કોંગ્રેસની આંતરિક દુર્દશા અને તેમની બગડતી માનસિક સ્થિતિ તરફ ઈશારો કરે છે.
રાજ્યસભાના સભ્ય સુધાંશુ ત્રિવેદીએ આરોપ લગાવ્યો કે બંધારણીય સંસ્થાઓ, સરકાર અને મીડિયાને સતત દોષ આપ્યા પછી, તેઓ પોતાના જ લોકોને દોષ આપવા લાગ્યા છે. તેમણે કહ્યું, ‘તમને ક્્યારેય એવું ઉદાહરણ નહીં મળે કે જ્યાં કોઈ નેતા જાહેરમાં પોતાના જ પક્ષના લોકોનું આ રીતે અપમાન કરે.’ ત્રિવેદીએ દાવો કર્યો હતો કે જા ગાંધી આત્મનિરીક્ષણ કરે તો તેમને ખ્યાલ આવશે કે તેઓ પાર્ટીના સૌથી ખરાબ નેતા છે.
ભાજપના રાષ્ટ્રીય પ્રવક્તા શહજાદ પૂનાવાલાએ કહ્યું, ‘રાહુલ ગાંધીએ ગુજરાતમાં પોતાને અને તેમની પાર્ટીને ટ્રોલ કર્યા છે અને પોતાને અરીસો બતાવ્યો છે. તેઓ પોતાની નિષ્ફળતાઓ માટે ખડગે જી અને તેમના પોતાના પક્ષના કાર્યકરોને દોષી ઠેરવી રહ્યા હતા.’ રાહુલ પર પોતાનો હુમલો ચાલુ રાખતા પૂનાવાલાએ કહ્યું, ‘તેમણે (રાહુલે) કહ્યું હતું કે તેમની પાર્ટીના અડધાથી વધુ નેતાઓ ભાજપ સાથે કામ કરી રહ્યા છે, જ્યારે તેમણે ૯૦ થી વધુ ચૂંટણીઓમાં તેમની પાર્ટીને હાર અપાવી છે.’ આ સંદર્ભમાં, તેઓ ભાજપનું સૌથી મોટું ટ્રમ્પ કાર્ડ છે.
ભાજપના પ્રવક્તાએ એક વીડિયોમાં રાહુલને પૂછ્યું, ‘શું તમે ભાજપ સાથે ગઠબંધનમાં છો?’ પૂનાવાલાએ રાહુલને કહ્યું કે તેમણે પહેલા પોતાનું મૂલ્યાંકન કરવું જાઈએ અને સમજવું જાઈએ કે તેઓ હવે પાર્ટી માટે કેમ કોઈ કામના નથી. તેમણે કહ્યું કે રાહુલ “ઈલેક્ટ્રોનિક વોટિંગ મશીનો, ચૂંટણી પંચ, મતદારોની યાદી, તેમના પક્ષના કાર્યકરો અને લોકો” ને દોષી ઠેરવી રહ્યા છે. પૂનાવાલાએ આરોપ લગાવ્યો, ‘જા ચૂંટણીમાં કોઈ પક્ષને હરાવવો એ એક કળા છે, તો તેના કલાકાર રાહુલ ગાંધી છે.’