લીલીયા તાલુકામાં કમોસમી વરસાદનાં કારણે ખેતીનાં પાકોને ભારે નુકસાન થયું છે ત્યારે ખારાપાટ વિસ્તારનાં ગામોમાં ખેતીવાડીમાં પાણી ભરાઈ ગયા છે અને કપાસ, મગફળી, સોયાબીનનો પાક નિષ્ફળ ગયો છે. તથા ખેડૂતાનાં મોંમાં આવેલ કોળીયો છીનવાઈ ગયો છે. જેથી તાત્કાલિક ધોરણે નુકસાનની સહાય ચૂકવવામાં આવે તેવી રજૂઆત જિલ્લા પંચાયત શિક્ષણ સમિતિનાં પૂર્વ ચેરમેન વિપુલભાઈ દુધાતે મુખ્યમંત્રીને કરી છે.